________________
ધર્મબોધ-ચંથમાળા : ૫૭ :
કાલિકાચાર્યે કહ્યું “એનું પ્રમાણ જે મારા મુખેથી જ જોઈતું હોય તે સાંભળી લે કે આજથી સાતમા દિવસે તારા મુખમાં નરકને છાંટે પડશે અને તે તું જાણજે કે હિંસક યજ્ઞનું ફલ નરક છે.”
આ શબ્દો ઉચ્ચારવામાં શું જોખમ રહેલું છે, તે કાલિકાચાર્ય બરાબર સમજતા હતા પણ સમવાદી થવું એ તેમની પ્રતિજ્ઞા હતી અને તે પ્રતિજ્ઞાનું પાલન તેઓ બરાબર કરી રહ્યા હતા.
કાલિકાચાર્યને જવાબ સાંભળીને યજ્ઞદત્ત રોષભર ઊભે થ અને પિતાના સિપાઇઓને હુકમ કર્યો કે-સાત દિવસ સુધી આ આચાર્ય નગર છોડીને ચાલ્યા ન જાય, તેની તકેદારી રાખે. પછી તે પિતાના મહેલમાં ગયે અને સાત દિવસ પૂરા થાય ત્યાં સુધી બહાર જ ન નીકળવું એ નિર્ણય કરીને અંદર ભરાઈ રહ્યો. આમ કરવામાં તેને ઉદ્દેશ આચાર્યને બેટા પાડવાનું અને એ રીતે વાંકમાં લાવીને આકરી શિક્ષા કરવાનું હતું, પણ મુનિનાં વચન મિથ્યા થતાં નથી એટલે દત્તે ભૂલ ખાધી અને આજે સાત દિવસ પૂરા થઈ ગયા છે, એમ માનીને સાતમા દિવસની સવારે ઘોડા પર બેસીને બહાર નીકળે. રસ્તામાં તે વિચાર કરે છે કે “આચાર્ય ખેટા પડ્યા છે એટલે આજે તેમને જોઈ લઈશ.” એવામાં એકાએક નરકને છાંટે મુખમાં પડ્યો અને તે ચમકી ગયેઃ “આ શું? આજે સાત દિવસ તે નથી? મેં ભૂલ તે ખાધી નથી?” વગેરે અનેક વિચારો તેના મનને ચકડોળે ચડાવવા લાગ્યા. અહીં હકીકત એવી બની