________________
પંદર: " : ૫૧ :
બે ઘડી વેગ ક્ષણજીવી જ હશે? આ રાજપાટ, આ દ્ધિસિદ્ધિ, આ કુટુંબકબીલે, આ શરીરસંપત્તિ શું વાદળની જેમ વિખરાઈ જશે? હા, હા, સર્વ સંગે અસ્થિર છે! અનિત્ય છે!! તેમાં રાચવાને કંઈ અર્થ નથી.
આ રીતે નિર્વેદ પામેલા દમદતે રાજપાટને ત્યાગ કર્યો અને શાશ્વત સુખની સાધના માટે સામાયિકને સ્વીકાર કરીને અહિંસાદિ પાંચ મહાવ્રત ધારણ કર્યા. રાજા દમદંત હવે રાજર્ષિ દમદંત થયા.
એક વાર રાજર્ષિ દમદંત વિહાર કરતાં કરતાં હસ્તિનાપુરમાં આવી ચડ્યા અને તેના બહિર્ભાગમાં આવેલા ઉદ્યાનમાં કાયેત્સર્ગ કરીને ધ્યાનમગ્ન થયા. એવામાં ત્યાં થઈને પાંડવો નીકળ્યા. તેમણે રાજર્ષિને વિનયપૂર્વક વંદન કર્યું. પછી કૌર પણ ત્યાં આવી ચડ્યા અને રાજર્ષિ દમદંતને આ રીતે ધ્યાનમ જોઈને બોલ્યા: “આ હર્ષપુરને રાજા દમદંત છે કે જેણે આપણને હરાવ્યા હતા ! તે આપણે દુશમન છે, તે આપણે વૈરી છે અને આજે બરાબર લાગમાં આવ્યું છે, માટે છોડ નહિ!” અને તેઓ એમનાં પર ઈટ પત્થર, લાકડાં તથા સડેલાં ફળ ફેંકી આનંદ પામવા લાગ્યા. કેઈએ ઠીક જ કહ્યું છે કે
દુષ્ટ ન છોડે દુષ્ટતા, લાખ શિખામણ દેત;
ઘણું ઘણું ધોયા છતાં, કાજલ હેત ન વેત. કીર પિતાની હેવાનિયત બતાવીને ત્યાંથી ચાલ્યા ગયા. પછી થોડી વારે પાંડવો પાછા તે જ રસ્તે પાછા ફર્યા, ત્યારે ત્યાં ઈંટ, પત્થર, લાકડાં તથા સડેલાં ફળને મેટે ઢગલે