SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ પંદર: " : ૫૧ : બે ઘડી વેગ ક્ષણજીવી જ હશે? આ રાજપાટ, આ દ્ધિસિદ્ધિ, આ કુટુંબકબીલે, આ શરીરસંપત્તિ શું વાદળની જેમ વિખરાઈ જશે? હા, હા, સર્વ સંગે અસ્થિર છે! અનિત્ય છે!! તેમાં રાચવાને કંઈ અર્થ નથી. આ રીતે નિર્વેદ પામેલા દમદતે રાજપાટને ત્યાગ કર્યો અને શાશ્વત સુખની સાધના માટે સામાયિકને સ્વીકાર કરીને અહિંસાદિ પાંચ મહાવ્રત ધારણ કર્યા. રાજા દમદંત હવે રાજર્ષિ દમદંત થયા. એક વાર રાજર્ષિ દમદંત વિહાર કરતાં કરતાં હસ્તિનાપુરમાં આવી ચડ્યા અને તેના બહિર્ભાગમાં આવેલા ઉદ્યાનમાં કાયેત્સર્ગ કરીને ધ્યાનમગ્ન થયા. એવામાં ત્યાં થઈને પાંડવો નીકળ્યા. તેમણે રાજર્ષિને વિનયપૂર્વક વંદન કર્યું. પછી કૌર પણ ત્યાં આવી ચડ્યા અને રાજર્ષિ દમદંતને આ રીતે ધ્યાનમ જોઈને બોલ્યા: “આ હર્ષપુરને રાજા દમદંત છે કે જેણે આપણને હરાવ્યા હતા ! તે આપણે દુશમન છે, તે આપણે વૈરી છે અને આજે બરાબર લાગમાં આવ્યું છે, માટે છોડ નહિ!” અને તેઓ એમનાં પર ઈટ પત્થર, લાકડાં તથા સડેલાં ફળ ફેંકી આનંદ પામવા લાગ્યા. કેઈએ ઠીક જ કહ્યું છે કે દુષ્ટ ન છોડે દુષ્ટતા, લાખ શિખામણ દેત; ઘણું ઘણું ધોયા છતાં, કાજલ હેત ન વેત. કીર પિતાની હેવાનિયત બતાવીને ત્યાંથી ચાલ્યા ગયા. પછી થોડી વારે પાંડવો પાછા તે જ રસ્તે પાછા ફર્યા, ત્યારે ત્યાં ઈંટ, પત્થર, લાકડાં તથા સડેલાં ફળને મેટે ઢગલે
SR No.022952
Book TitleBe Ghadi Yog
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherMuktikamal Mohan Granthmala
Publication Year1952
Total Pages88
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy