________________
ધર્મબોધ-ગ્રંથમાળા
: ૪૮ ૪
ભગવાન્ મહાવીરની પરમ ચેગસાધના પણ સામાયિકને જ આભારી હતી, તે અંગે વાચકમુખ્ય શ્રી ઉમાસ્વાતિ મહારાજે કહ્યું છે કે – जन्म-जरा-मरणात जगदशरणमभिसमीक्ष्य निःसारम् । स्फीतमपहाय राज्यं शमाय धीमान् प्रवव्राज ॥ प्रतिपद्याशुभशमनं निःश्रेयससाधकं श्रमणलिङ्गम् । कृतसामायिककर्मा व्रतानि विधिवत्समारोप्य ॥ १ ॥
જન્મ, જરા અને મરણથી પીડિત જગતને અશરણ જોઈ વિશાલ પરંતુ નિ સાર એવા રાજ્યસુખને ત્યાગ કરી એ મેધાવી પુરુષ શમસાધના માટે પ્રવજિત થયા અને સામાયિક કમ કરવાપૂર્વક વ્રતને વિધિવત્ સ્વીકાર કરીને અશુભને સમવનાર તથા કલ્યાણને સાધનાર એવા શ્રમણલિંગને ધારણ કર્યું. | સામાયિકની ક્રિયા અપૂર્વ અને અનન્ય છે. તે દર્શાવવા માટે તેમણે કહ્યું છે કે –
दिवसे दिवसे लक्खं देइ, सुवनस्स खंडियं एगो । एगो पुण सामाइयं, करेइ न पुडप्पए तस्स ॥ १॥
એક મનુષ્ય પ્રતિદિન લાખ ખાંડી સેનાનું દાન દે અને બીજે મનુષ્ય પ્રતિદિન સામાયિક કરે, તે દાન દેનારે તેની બરોબરી કરી શકે નહિ.
“આવું સામાયિક કેને થાય છે?” તેને ઉત્તર આપતાં એ મહર્ષિઓએ જણાવ્યું છે કે