________________
પંદરમું
: ૪૭ : બે ઘડી યોગ કોડે વર્ષ સુધી તીવ્ર તપ કરતાં પણ જીવ જે કર્મોને ખપાવી શકતે નથી, તે કર્મને સમભાવથી ભાવિત થયેલા ચિત્તવાળે અધ ક્ષણમાં ખપાવે છે.
सामायिकं गुणानामाधारः खमिव सर्वभावानाम् । नहि सामायिकहीनावरणगुणान्विता येन ॥ १ ॥
જેમ સર્વ ભાવોને-પદાર્થોને આધાર આકાશ છે, તેમ સર્વ ગુણને આધાર સામાયિક છે, જેમને સામાયિક નથી તે ચરણગુણોથી (સમ્યફ ચારિત્રથી) યુકત બની શકતા નથી.
सामायिकं च मोक्षांग परं सर्वज्ञभाषितम् ।
સર્વજ્ઞ ભગવંતોએ કહેલું સામાયિક જ મેક્ષનું પરમ અંગ છે. सामाइयसामग्गि, देवा वि चितंति हिययमज्झम्मि । जइ होइ मुहुत्तमेगं, ता अम्ह देवत्तणं सुलहं ॥१॥
દેવે પણ હૃદયમાં એવું ચિંતવે છે કે જો સામાયિકની સામગ્રી અને એક મુહૂર્ત (બે ઘડી) જ મળી જાય તે અમારું દેવપણું સફળ થાય.”
તાત્પર્ય કે-દેવપણનાં સઘળાં સુખે સામાયિકથી પ્રાપ્ત થનાર સુખ આગળ કંઈ વિસાતમાં નથી. ' तस्माजगाद् भगवान् सामायिकमेव निरुपमोपायम् । शारीरमानसानेकदुःखनाशस्य मोक्षस्य ।।
તેથી ભગવાને શારીરિક અને માનસિક અનેક દુઃખના નાશરૂપ મેક્ષના પરમ ઉપાય તરીકે સામાયિકને જ કહેલું છે.