________________
પંદર
:
: ૪૫,:
બે ઘડી યોગ
પોતાના શરીરમાં પણ કઈ જાતનું મમત્વ નહિ રાખનારા, બાહ્ય અને અત્યંતર પરિગ્રહથી વિમુક્ત, માત્ર ચારિત્રની રક્ષા અર્થે જ ધર્મોપકરણ રાખનારા, પાંચે ઈદ્રિનું દમન કરવામાં તત્પર, જિનેએ (વીતરાગી મહાત્માઓએ) કહેલાં સિદ્ધાંતને પરમાર્થ ગ્રહણ કરનારા, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિથી યુક્ત એવા ગુરુનું મને-અમને શરણ હજો.