________________
ધર્મબોધચંથમાળા : ૪૪ :
: ૫ બીકારના શાલ–દુશાલાને ઉપયોગ કરે છે. તે ઉપરાંત ત્યાં સ્ત્રી અને પુરુષોને રહેવાનાં સ્થાને અલગ હેવા છતાં દિવસભર એક બીજાને મળવાનું ચાલુ હોય છે અને હાસ્ય, ઠઠ્ઠા કે મશ્કરી કરવાની મોજ મણતી હોય છે. આ બધાનું પરિણામ એ આવે છે કે પુરુષની સ્ત્રીઓ પ્રત્યેની અને સ્ત્રીઓની પુરુષ પ્રત્યેની આકર્ષણ વૃત્તિ ચાલુ જ રહે છે અને પરિણામે જે બંધને - માંથી છૂટવું હોય છે, તે બંધને વધારે મજબૂત થાય છે. અને ત્યાં ખોરાકનું ધોરણ પણ એવું હોય છે કે જે વૃત્તિઓને શાંત કરવામાં મદદ કરતું નથી. તાત્પર્ય કે-શૃંગારને ત્યાગ, સ્ત્રીસહવાસને ત્યાગ અને માલ-મીઠાઈઓ ખાવાને ત્યાગ એ યેગની અનિવાર્ય શરતે છે અને તેનું પાલન કર્યા સિવાય કદિ પણ યોગસિદ્ધિ થતી નથી.
હવે છેલ્લી અને સહુથી મહત્ત્વની એક વાત કહી દઈએ કે “ગુરુ વિના જ્ઞાન નથી. તેથી જેને ગસાધના કરવી છે, તેણે એગ્ય ગુરુને શોધી કાઢવા જોઈએ અને તેનું શરણ સ્વીકારવું જોઈએ.
“ગ્ય ગુરુ કેને કહેવા?તેને વિચાર અમે “ગુરુદર્શન – (પુષ્પ નં. ૫)માં ખૂબ વિસ્તારથી કર્યો છે. એટલે અહીં તેની પુનરુક્તિ નહિ કરીએ, પણ ટૂંકમાં એટલું જ કહીશું કે– स सरीरे वि निरीहा, बज्झम्भितरपरिग्गहविमुक्का ।
धम्मोवगरणमित्तं धरंति, चारित्तरक्खट्टा । पंचिंदियदमणपरा, जिणुत्तसिद्धतगहियपरमत्था । पंचसमिया तिगुत्ता, सरणं मह एरिसो गुरुणो ॥१॥