________________
પંદરમું :
: ૨૧ :
બે ઘડી યોગ
પરંતુ ચતુર કેશાને તેમને મને ગત ભાવ સમજતાં વાર લાગી નહિ. તે બોલીઃ- કરીએ મુનિરાજ ! અમારે ધંધે એ રહ્યો કે ગમે ત્યારે ગમે તે ગ્રાહક આવી પહોંચે અને અમારે તેના મનનું રંજન કરવા માટે ખાસ ખીદમત ઉઠાવવી પડે. આ બધી જંજાળમાં તમારી પાસે આવીને બેસી શકાતું નથી.”
આ જંજાળ તે સદાની થઈ એ એમ કયાં છૂટવાની છે?” મુનિએ પિતાની મર્યાદા બહાર જઈને આ શબ્દો ઉચ્ચાય અને કેશા તરફ વિકાર યુક્ત દષ્ટિપાત કર્યો.
કેશાએ જોઈ લીધું કે મુનિનું મન ચળ્યું છે અને તે પિતાની સાધનાને માનસિક ભંગ કરી ચૂક્યા છે, એટલે તેમને ઠેકાણે લાવવા માટે કહ્યું -“મુનિરાજ, સરોવર કિનારે આવીને તરસ્યા રહેવાને કંઈ અર્થ નથી. પરંતુ અમારે ધંધે એવો રહ્યો કે જેની પાસે ધન હોય તેને જ બોલાવીએ, માટે એક કામ કરે કે અહીંથી નેપાળદેશમાં જાઓ અને ત્યારે રાજા પહેલી વાર જનાર મુનિઓને રત્નકંબલ આપે છે, તે લઈ આવે. તે તમારા મનની મુરાદ પૂરી થશે.”
બસ થઈ ચૂકયું. કશાનો પ્રેમ પાળવાને મુનિએ એક જ સ્થળે ચાતુર્માસ ગાળવાની પ્રતિજ્ઞા તેડી અને નેપાળને રાહ લીધે. ત્યાં જતાં રાજાએ રત્નકંબલ આપી અને તે લઈને પાછા ફર્યા. રસ્તામાં ચાર-ચખારના હાથે ખૂબ પજવણી થઈ, છતાં સહીસલામત પાછા આવી ગયા અને કેશાના હાથમાં રત્નકંબલ મૂકવાને સમર્થ થયા.