________________
પંદરમું : : ૨૯ :
બે ઘડી યોગ - કરનારા અને યથાસ્થિત વસ્તુતત્વને જેવાવાળા મહાપુરુષના શમ, દમ, ઔચિત્ય, ગાંભીર્ય, વૈર્ય આદિ ગુણે તેને પક્ષપાત કરે એટલે કે તેમાંથી આનંદ થ તે પ્રમાદ ભાવના છે. દીન, દયાપાત્ર, આર્ન, તૃષ્ણારૂપી અગ્નિવડે કરીને બળી રહેલા, વિવિધ દુખેથી પીડાયેલા, વૈરીથી દબાયેલા, રોગથી પીડાયેલા, મૃત્યુના મુખમાં સપડાયેલા છેને તે તે દુઃખોમાંથી મુક્ત કરવા માટે હિતોપદેશ તથા દેશકાલની અપેક્ષાએ અન્ન, પાન, આશ્રય, વસ્ત્ર, ઔષધિ વગેરેવડે મદદ કરવી તે કરુણા ભાવના કહેવાય છે. અને ગમ્યાગમ્ય, ભાભશ્ય, કર્તવ્યાકર્તાવ્યાદિ વિવેક વિનાના અને તેથી દૂર કર્મ કરવાવાળા નિઃશંકપણે દેવગુરુની નિંદા કરનારા અને સદેષ છતાં પિતાની પ્રશંસા કરનારા જ ધર્મદેશનાને અયોગ્ય જણાતાં, તેઓની ઉપેક્ષા કરવી તે માધ્યસ્થ ભાવના કહેવાય છે. *
આ ભાવનાઓનું મહત્વ નીચેની પંક્તિઓથી સમજાય છે – मैत्रीप्रमोदकारुण्यमाध्यस्थानि नियोजयेत् । धर्मध्यानमुपस्कर्तुं तद्धि तस्य रसायनम् ॥ १ ॥ ધર્મધ્યાન પ્રાપ્ત કરવા માટે આત્માને મૈત્રી, પ્રદ, કારુણ્ય અને માધ્યસ્થ ભાવનામાં જે, કારણ કે તે જ તેનું રસાયણ છે.
ધ્યાન એટલે ચિત્તની એકાગ્રતા. તેને વિચાર અમે મનનાં મારણમાં વિસ્તારથી કર્યો છે, એટલે જિજ્ઞાસુઓએ ત્યાંથી જોઈ લે.
* યેગશાસ્ત્ર.