Book Title: Be Ghadi Yog
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Muktikamal Mohan Granthmala

View full book text
Previous | Next

Page 38
________________ પંદરમું : : ૩૫ : બે ઘડી યોગ વચનને નિગ્રહ કેમ કરે અને કાયાને નિગ્રહ કેમ કરે તે શીખવે છે. બાવીસ પરિષહ તિતિક્ષાની તાલીમ આપે છે. દસ પ્રકારને યતિધર્મ યમ, નિયમ, તપ અને પવિત્રતાને લગતા સર્વે અગત્યના ધર્મોનું પ્રતિપાદન કરે છે. બાર ભાવના અદયાત્મની પ્રબલ પુષ્ટિ કરે છે અને પાંચ પ્રકારનું ચારિત્ર કે જેને પ્રારંભ સામાયિકથી થાય છે, તેમાં આધ્યાત્મિક પ્રગતિના સર્વ ઉપાયે કામે લગાડેલા છે. - નિર્જરાના મુખ્ય ભેદે બાર છે. તે આ રીતે અનશન, ઊદરિકા, વૃત્તિક્ષેપ, રસત્યાગ, કાયકલેશ, સંલીનતા, પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવૃત્ય, સ્વાધ્યાય, ધ્યાન અને ઉત્સર્ગ. તેમાં અનશન, ઊદરિકા, વૃત્તિસંક્ષેપ અને રસત્યાગ મુખ્યત્વે, કાયાની શુદ્ધિ માટે છે, એટલે કે તેનાં વિષય-વિકાર કેમ ઓછાં થાય તે દષ્ટિએ જાયેલાં છે. કાયકલેશમાં સામાન્ય રીતે સર્વ પ્રકારની તિતિક્ષા અને વિશેષ રીતે વિવિધ પ્રકારનાં આસનેને વિચાર કરેલું છે. સંલીનતામાં ઇદ્રિ અને કષાયોને જય બતાવેલ છે તથા એકાંતસેવનની હિમાયત કરેલી છે. પ્રાયશ્ચિત્ત, વિનય અને વૈયાવૃત્ય એ મુખ્યત્વે માનસિક શુદ્ધિ માટે જાયેલાં છે. સ્વાધ્યાય જ્ઞાનની વૃદ્ધિ માટે છે, ધ્યાન ચિત્તની એકાગ્રતા માટે છે અને ઉત્સર્ગ કષાયાદિ સર્વ વૃત્તિઓને ત્યાગ કરીને નિજસ્વરૂપમાં મગ્ન થવા માટે છે. - સંવર અને નિર્જરાનું આ સ્વરૂપ એમ બતાવવાને પૂરતું છે કે-નિગ્રંથ મહર્ષિએ પરમ યોગી હતા અને ગની સર્વ પ્રણાલિકાઓ અને તેના રહસ્યથી પૂરેપૂરા માહિતગાર હતા, જેથી . તેનાં સર્વ પ્રશસ્ત અંશેને આ રીતે સંગ્રહ કરી શક્યા છે.

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88