________________
પંદરમું' :
: ૩૯ :
એ ઘડી યાગ
માટે—
संबुज्झह ! किं न बुज्झह ? संबोही खलु पेच्च दुल्लहा | सुलभं पुणरवि जीवियं ॥१॥
नो हूवणमन्ति राइओ, नो
હે મહાનુભાવા, સમજો ! બરાબર સમજો ! ! તમે એટલુ કેમ સમજતા નથી કે પરલેાકમાં સમ્યગ્બોધિ ( દર્શન, જ્ઞાન અને ચારિત્ર) પ્રાપ્ત થવી ઘણી જ સુરકેલ છે. જેમ ગયેલી રાત્રિએ પાછી આવતી નથી તેમ ગયેલું જીવન પણ પાછું આવતું નથી. અર્થાત્ તમને જે સમય અને સંયોગે પ્રાપ્ત થયા છે તેના ખની શકે તેટલી ત્વરાથી મેાક્ષ-સાધના માટે ઉપયાગ કરી લ્યા.
વિષયમાં સમાયેલા દોષ અને દુઃખાનું સ્મરણ કરવાથી વૈરાગ્ય પ્રાપ્ત થાય છે અને યેગસાધનામાં આગળ વધી શકાય છે. અભ્યાસની મહુત્તા વિષે મહાપુરુષોએ કહ્યું છે કે-सर्वेषां तु पदार्थानामभ्यासः कारणं परम् ।
સર્વે પદાર્થાંનું પરમ કારણુ અભ્યાસ છે. એટલે કે અભ્યાસવડે સર્વ કઈ સિદ્ધ થઈ શકે છે.
अभ्यासेन स्थिरं चित्त-मभ्यासेनानिलच्युतिः । अभ्यासेन परानन्दो, ह्यभ्यासेनात्मदर्शनम् || १ |
મન મર્કટ જેવું ચંચળ છે અથવા ધ્વજાના અગ્રભાગ જેવુ' ઋસ્થિર છે, છતાં તેને અભ્યાસથી સ્થિર કરી શકાય છે. શરીરની નવસા નવાણું નાડીએમાં ફરી રહેલા વાયુને કાબૂમાં