________________
પંદરમું : * : ૨૩ :
બે ઘડી થાય પૂર્વી થઈને તાર્યા પ્રાણી છેક જે, ઉજજવલ ધ્યાને તેહ ગયા દેવલેક જે ગષભ કહે નિત્ય તેમને કરીએ વંદના જે ૧૭
એ રીતે ચૌદપૂર્વી થઈને તેમણે અનેક પ્રાણીઓને સન્માર્ગ દેખાડી તેમને ઉદ્ધાર કર્યો, પછી ઉજજવલ ધ્યાને કાળધર્મ પામતાં દેવલોકમાં ઉત્પન્ન થયા, જ્યાંથી ચ્યવીને કાલક્રમે મેસે જશે. કવિ રાષભદાસ કહે છે કે-આવા મહાગીને પ્રતિદિન ભક્તિભાવથી વંદના કરવી ઘટે છે.