________________
ધર્મબોધ-ચંથમાળા
: ૨૦ :
: ૫૧
કાશાને લાગ્યું કે આ મુનિ તે મહાત્મા સ્થલભદ્રની હરિફાઈ કરતાં જણાય છે. એટલે તેણે ચિત્રશાળાની હા પાડી, અને સાથે જ તેમની કસોટી કરવાને પાકે સંકલ્પ કર્યો.
હજી ચાતુર્માસના થોડા જ દિવસે યતીત થયા છે અને મુનિ ગોચરીપાણીથી પરવારીને સ્વાધ્યાય કરતાં બેઠા છે કે કેશા સોળે શણગાર સજીને ત્યાં આવી અને ઝાંઝરનો ઝમકાર કરતી તથા વિવિધ પ્રકારને અભિનય કરતી અતિ મંજુલ સ્વરે બેલીઃ “મુનિરાજ ! શાતામાં તે છે ને? મારે ત્યાં આપને કઈ પણ પ્રકારની અડચણ તે નથી પડતી ને?” '
આ શબ્દો સાંભળતાં મુનિએ મસ્તક ઊંચું કર્યું, ત્યાં રૂપરૂપને અંબાર જેવામાં આવ્યું. પૂર્ણિમાના મુખ જેવું ગળ સુંદર મુખ ! લાંબું અણિયાળું નાક અને ગોટા ગુલાબી ગાલ! વિશાલ ભાલ, સુકુમાર બાહ, લાંબી પતલી દેહલતા અને તેમાં હીરામોતીને અપૂર્વ શણગાર ! વળી કાળ ભમ્મર કેશપાસ મનહર ફૂલડાંઓથી વિભૂષિત થયે થકો કામદેવના દુર્દાન્ત દંડ સમે ઢીંચણ સુધી લટકી રહ્યો છે. આવું રૂપ ને આવું સૌંદર્ય તેમણે કદિ પણ જોયું ન હતું. તેમણે અપ્સરાઓની વાત સાંભળી હતી, ઉર્વશી અને મેનકાનાં વર્ણને વાંચ્યાં હતાં, પણ તેને સાક્ષાત્કાર તે આજે જ થતો હતે ! સાંભળવામાં અને જોવામાં કેટલે તફાવત છે અને તેની મન પર કેવી અને કેટલી અસર થાય છે, તેને અનુભવ મુનિને થઈ રહ્યો હતે. એટલે તે બોલ્યાઃ “બાઈ, રેજ થેડી થોડીવાર અમારી પાસે આવતા જાઓ અને બે શબ્દો ધર્મનાં સાંભળીને જીવનમાં ઉતારતા જાઓ.’