________________
પંદરમું ? : ૧૫
બે ઘડી યોગ પરંતુ કશા પુરાણ પ્રસંગની યાદ આપતી જ ચાલીઃ
મોટકું આવ્યું તું નંદનું તેડું જે, જાતાં ન વહે કંઈ તમારું મનડું જે,
મેં તમને તિહાં કોલ કરીને મોકલ્યા છે. ૧૨ યાદ છે મુનિરાજ ! નંદરાજાએ તમને તેડવા માટે પિતાના ખાસ માણસને મેકલ્યા હતા અને કહેવરાવ્યું હતું કે તમે તુરત જ આવી જાઓ. છતાં ત્યાં જવાનું તમારું દિલ થતું ન હતું ! એવું હતું મારા પ્રેમનું ગાઢ બંધન ! એવી મારી સાથે તમારી મીઠી મહેબૂત ! પણ મેં સમય પારખે અને તમને કહ્યું કે “રાજાજીના તેડાને માન આપવું જોઈએ. તમે ત્યાં જાઓ અને કામ પતાવીને પાછા વહેલા વહેલા આવી જજે.” ત્યારે તમે માંડ માંડ તૈયાર થયા અને હું જલદી પાછો આવી જઈશ એ કોલ આપીને વિદાય થયા. મને તમારા કેલ પર, તમારા વચન પર અથાગ વિશ્વાસ હતે એટલે તેમાં ભરોસો રાખીને તમને વિદાયગીરી આપી. પરંતુ તમે તમારા એ કોલ પાળે નહિં. ખરું કહેજે મુનિરાજ ! એ કેલને તમે વફાદાર રહ્યા છો ખરા?
વાત સાચી હતી. ઘટના એવી જ બની હતી. સ્થલભદ્ર નંદરાજા પાસે પહોંચ્યા ત્યારે જાણ્યું કે રાજદ્વારી કાવાદાવાથી પિતાનું ખૂન થયું અને મંત્રીપદ સંભાળવાને માટે પોતાના લઘુ બંધુ શ્રીયકને કહેવામાં આવ્યું છે, પણ શ્રીયકે એ વાતને સ્વીકાર ન કરતાં પોતાની ભલામણ કરી છે, એટલે રાજાએ પિતાને બોલાવેલ છે. સ્થલભદ્ર ગમે તેવા ત્યાગી હતા, છતાં