________________
પંદરમું : * ૧૭ :
ઘડી ચમ પરમપવિત્ર યોગની દીક્ષા આપી. હવે તું સમજી શકીશ કે હું તારી પાસે પાછો કેમ ન આવી શકયે. - આ શબ્દોએ કેશાના દિલમાં મહાત્મા સ્થૂલભદ્રની પ્રામાણિકતા માટે ભારે માન પિદા કર્યું અને તે જ વખતે તેને વિચાર આવ્યું કે “આચાર્યશ્રી સંભૂતિવિજયે એવું તે શું કહ્યું હશે કે જેણે સ્થૂલભદ્રની નેહ-સરિતાને તરત જ સૂકવી નાખી અને વેગનું અજબ આકર્ષણ પેદા કર્યું?” આ પ્રશ્નનું સમાધાન મેળવવા તેણે કહ્યું:
શીખવ્યું તો કહી દેખાડો અમને જે, ધરમ કરતાં પુણ્ય વડે તમને જે,
સમતાને ઘેર આવી વેશ્યા ઈમ કહે છે. ૧૪ આચાર્યશ્રી સંભૂતિવિજયે તમને સમ્યક્ત્વનું શું સ્વરૂપ સમજાવ્યું તે મને કહે જેથી સમજ પડે કે તમારામાં આ અદ્ભુત પરિવર્તન કેમ થયું? એ વાત મને કહી સંભળાવવી એ તમારે ધર્મ છે. તમારા ઉપદેશથી હું ધર્મમાં સ્થિર થઈને જે આત્મસાધન કરીશ તેનું મોટું પુણ્ય તમે ઉપાર્જન કરશે.
મહાત્મા સ્થૂલભદ્ર સમજી ગયા કે કેશાના હૃદયમાં સત્યની જિજ્ઞાસા ઉત્પન્ન થઈ છે અને તેને તૃપ્ત કરવામાં આવશે તે તેનું પરિણામ ઘણું સુંદર આવશે એટલે તેમણે સમ્યક્ત્વનું વરૂપ વિસ્તારથી સમજાવ્યું અને કેશાના મનમાં ભેગની અસારતા વિષે જે જે શંકાઓ હતી, તેનું નિરાકરણ કરીને ચારિત્ર વિષે સમજ આપી.