________________
ધર્મબોધ-ચંથમાળા
: ૧૬ :
માતાપિતા પ્રત્યે અપૂર્વ માન ધરાવતા હતા, એટલે પિતાના કરુણ મૃત્યુએ તેમના દિલને સખત ચોટ પહોંચાડી અને આવા પ્રસંગે પણ પોતે હાજર ન રહી શક્યા તેનું અત્યંત દુઃખ થયું. “હું કે કામાંધ ! કે બેવકૂફ!! બાર બાર વર્ષ સુધી વેશ્યાને ત્યાં પડયે રહ્યો, પણ પિતાની સારસંભાળ ન લીધી કે તેમની કઈ પણ પ્રકારની સેવા ન કરી શકે ! હવે મંત્રીપદ લઈને શું કરવું? રાજદ્વારી કાવાદાવાનાં આખરી પરિણામ કેવાં હોય છે, તેને દાખલે તે નજર સામે જ તાજે છે !” એટલે તેમણે કહ્યું: “પિતાજીના મૃત્યુ સમાચારથી મારું મન વિહૂલ બની ગયું છે, તેથી વિચાર કરવાને થડે સમય આપે. હું વિચારીને જવાબ આપીશ.” અને એ વિચાર કરવા તેઓ નગરના એક ઉદ્યાન તરફ ચાલ્યા. ત્યાં શું હકીકત બની તે કહી સંભળાવે છેઃ
મોકલ્યા તો મારગમાંહી મળિયા જે, સંભૂતિ આચારજ જ્ઞાને બળિયા જે, સંયમ દીધું સમકિત તેણે શીખવ્યું છે. ૧૩ કેશ! વાત સાચી છે કે તે મને મોકલ્યું અને હું ગયે. તે સાથે એ વાત પણ સાચી છે કે રાજાને પ્રત્યુત્તર આપીને હું તારી પાસે પાછો જ આવવાનું હતું, પણ દરમિયાન રસ્તામાં પ્રખર જ્ઞાની, ધ્યાની મહાત્મા શ્રી સંભૂતિવિજ્યને મેળાપ થયે અને તેમણે સમ્યક્ત્વનું સ્વરૂપ સમજાવીને મારી યુગ-યુગની મોહનિદ્રા ઉડાડી દીધી. પરિણામે ભેગના માર્ગને ભયંકર જાણીને મેં છોડી દીધું અને યુગના અનુપમ માર્ગને સ્વીકાર કર્યો. મારી વિનતિ પરથી આચાર્ય શ્રી સંભૂતિવિજયે મને