________________
૨૭૮ *
આવશ્યકનિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૫)
पडिक्कमामि चउहिं कसाएहिं - कोहकसाएणं ४, प्रतिक्रामामि चतुर्भिः कषायैर्योऽतिचारः कृतः, तद्यथा-क्रोधकषायेण मानकषायेण मायाकषायेण लोभकषायेण, कषायस्वरूपं सोदाहरणं यथा नमस्कार इति ॥
पडिक्कमामि चउहिं सण्णाहिं - आहारसण्णाए ४, प्रतिक्रामामि चतसृभिः संज्ञाभिर्योऽतिचारः कृतः, तद्यथा—आहारसंज्ञयेत्यादि ४, तत्र संज्ञानं संज्ञा, सा पुनः सामान्येन क्षायोपशमिकी औदयिकी च, तत्राऽऽद्या ज्ञानावरणक्षयोपशमजा मतिभेदरूपा, न तयेहाधिकारः, द्वितीया सामान्येन चतुर्विधाऽऽहारसंज्ञादिलक्षणा, तत्राहारसंज्ञा - आहाराभिलाषः क्षुद्वेदनीयोदयप्रभवः खल्वात्मपरिणाम इत्यर्थः, सा पुनश्चतुर्भिः स्थानैः समुत्पद्यते, तद्यथा - ' ओमकोझ्याए १ छुहावेयणिज्जस्स कम्मस्सोदएणं २ मईए ३ तदट्ठोवजोगेणं' तत्र मतिराहारश्रवणादिभ्यो भवति, 10 તોપયોગ-સ્વાહામેવાનવાત ચિન્તયત:, તૈયાઽદારસંન્નયા, મયસંજ્ઞા—મયામિનિવેશ:- મયमोहोदयजो जीवपरिणाम एव, इयमपि चतुर्भिः स्थानैः समुत्पद्यते, तद्यथा-' - ही सत्ता १ भयमोहणिज्जोदएणं २ मइए ३ तयट्ठोवओगेणं' तया, मैथुनसंज्ञा - मैथुनाभिलाषः वेदमोहोदयजो
5
‘પડિમામિ વહિં સાહિઁ' ચાર પ્રકારના કષાયોને કારણે જે અતિચાર સેવાયો તેનું પ્રતિક્રમણ કરું છું. તે ચાર પ્રકારના કષાયો – ક્રોધ, માન, માયા અને લોભ. ઉદાહરણસહિત 15 કષાયોનું સ્વરૂપ પૂર્વે નમસ્કારનિર્યુક્તિમાં (ગા.૯૧૮) જે રીતે કહ્યું છે તે રીતે જાણવું.
‘ડિશમામિ નહિં સાહિઁ આહારસંશા વિગેરે ચાર પ્રકારની સંજ્ઞાઓને કારણે જે અતિચાર સેવાયો છે તેનું પ્રતિક્રમણ કરું છું. આ સંજ્ઞા સામાન્યથી ક્ષાયોપશમિકી અને ઔદિયકી એમ બે પ્રકારે છે. તેમાં પ્રથમ ક્ષાયોપશમિકીસંજ્ઞા જ્ઞાનાવરણના ક્ષયોપશમથી ઉત્પન્ન થનાર મતિજ્ઞાનના એક ભેદસ્વરૂપ જાણવી. આ સંજ્ઞાનું અહીં પ્રયોજન નથી. બીજી જે ઔયિકસંજ્ઞા 20 છે, તે સામાન્યથી આહારસંજ્ઞા વિગેરેરૂપ ચાર પ્રકારની જાણવી.
તેમાં આહારસંશા એટલે આહારની ઇચ્છા અર્થાત્ ક્ષુધાવેદનીયના ઉદયથી ઉત્પન્ન થતો આત્માનો પરિણામવિશેષ. આ આહારસંજ્ઞા ચાર કારણોથી ઉત્પન્ન થાય છે – (૧) પેટ ખાલી હોવાથી, (૨) ક્ષુધાવેદનીયકર્મના ઉદયથી, (૩) બુદ્ધિથી, (૪) તદર્થમાં ઉપયોગ રાખવાથી. અહીં બુદ્ધિથી એટલે આહારનું શ્રવણ (અર્થાત્ આજે રસોડામાં આવી - આવી મીઠાઈ વિગેરે 25 બન્યું છે એવું સાંભળવા) વિગેરેથી ખાવાની બુદ્ધિ ઉત્પન્ન થાય છે. તથા સતત આહારના વિચાર કરનારને તદર્થમાં=આહાર કરવામાં જ ઉપયોગ હોવાથી આહારસંજ્ઞા ઉત્પન્ન થાય છે. તે આહારસંજ્ઞાના કારણે (જે અતિચાર...).
ભયસંજ્ઞા એટલે ભયનો અભિનિવેશ અર્થાત્ ભયમોહનીયકર્મના ઉદયથી ઉત્પન્ન થતો જીવપરિણામ જ. આ સંજ્ઞા પણ ચાર કારણોથી ઉત્પન્ન થાય છે. – (૧) હીનસત્ત્વ હોવાથી, 30 (૨) ભયમોહનીયના ઉદયથી, (૩) બુદ્ધિથી (અર્થાત્ ભયજનક એવી વાતો સાંભળવા વિગેરેથી
૧૧. અવમોઋતવા, ક્ષુધાવેનીયસ્ય ર્મળ વ્હેન, મા, તર્થ્રોપયોોન । ૧૨. હ્રીનસત્ત્વતવા, મયમોહનીયોન્થેન, મત્યા, તોપયોનેન