Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| શતક–૧૩: ઉદ્દેશક-૨
[ ૩૩ ] असंखेज्ज- वित्थडेसु वि तिण्णि गमगा। एवं जावगेवेज्जविमाणे । अणुत्तरविमाणेसु एवं चेव; णवरं तिसुवि आलावएसुमिच्छादिट्ठी सम्मामिच्छादिट्ठी यण भण्णंति । सेसं તે વેવા ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અસુરકુમાર દેવોના ચોસઠ લાખ અસુરકુમારાવાસોમાંથી, સંખ્યાત યોજન વિસ્તૃત અસુરકુમારાવાસોમાં સમ્યગૃષ્ટિ અસુરકુમાર ઉત્પન્ન થાય છે કે મિથ્યાષ્ટિ ઉત્પન્ન થાય છે?
ઉત્તર- હે ગૌતમ! જે રીતે રત્નપ્રભા પૃથ્વીના સંબંધમાં ત્રણ સૂત્રો કહ્યા, તે જ રીતે અહીં પણ કથન કરવું જોઈએ અને તે જ રીતે અસંખ્યાત યોજન વિસ્તૃત અસુરકુમારાવાસોના વિષયમાં પણ ત્રણ આલાપક કહેવા જોઈએ. આ જ રીતે યાવત્ રૈવેયક અને અનુત્તર વિમાનોમાં પણ કહેવું જોઈએ. અનુત્તર વિમાનમાં વિશેષતા એ છે કે ત્રણે આલાપકોમાં મિથ્યાદષ્ટિ અને મિશ્ર દષ્ટિનું કથન ન કરવું જોઈએ. શેષ સર્વ વર્ણન નરકની સમાન છે. વિવેચન :
પાંચ અનુત્તર વિમાનમાં માત્ર સમ્યગુદષ્ટિ જીવો જ હોય છે. તેથી શેષ બે દષ્ટિનો નિષેધ કર્યો છે. શેષ સર્વ દેવોમાં ત્રણ દષ્ટિ હોય છે. દેવોમાં વેશ્યા પરિણમન :१५ सेणूणं भंते !कण्हलेस्से जीवेणील लेस्से जावसुक्कलेस्से भवित्ता कण्हलेस्सेसु देवेसु उववज्जति?
हता गोयमा ! एवं जहेव णेरइएसु पढमे उद्देसए तहेव भाणियव्वं । णीललेसाए विजहेव णेरइयाणं । जहा णीललेस्साए एवं जावपम्हलेस्सेसु । सुक्कलेस्सेसु एवं
चेव, णवरं-लेस्सट्ठाणेसुविसुज्झमाणेसुविसुज्झमाणेसुसुक्कलेस्संपरिणमइ,सुक्कलेस्सं परिणमित्ता सुक्कलेस्सेसुदेवेसु उववज्जति । सेतेणटेणं जावउववज्जति ॥ सेवं भंते! સેવં ભલે ! II ભાવાર્થ – પ્રશ્ર– હે ભગવન્! કૃષ્ણલેશી જીવો, નીલલેશી થાવત શુક્લલશી (રૂપે પરિવર્તિત) થઈને કૃષ્ણલેશી દેવોમાં ઉત્પન્ન થઈ શકે છે?
ઉત્તર- હા ગૌતમ! જે રીતે પ્રથમ ઉદ્દેશકમાં નૈરયિકોના વિષયમાં કથન કર્યું છે, તે જ રીતે અહીં પણ કૃષ્ણલેશી દેવનું કથન કરવું જોઈએ. નીલલેશ્યાનું કથન પણ નારીની સમાન કરવું. જે રીતે નીલ લેશી દેવનું કથન કર્યું તે જ રીતે કાપોતલેશી થાવત્ પદ્મલેશીના વિષયમાં પણ કહેવું જોઈએ. શુક્લ લેશ્યાના વિષયમાં પણ આ જ રીતે કથન કરવું જોઈએ પરંતુ વિશેષતા એ છે કે વેશ્યા સ્થાન વિશુદ્ધ થતાં થતાં શુક્લલેશ્યામાં પરિણત થાય છે. શુક્લલેશ્યામાં પરિણત થયા પછી જીવ શુક્લલેશ્યામાં યુક્ત દેવમાં ઉત્પન્ન થાય છે. તેથી હે ગૌતમ! તે પ્રમાણે કથન કર્યું છે યાવત્ ઉત્પન્ન થાય છે.// હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. તે