Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શતક–૧૬: ઉદ્દેશક-૮
૩૧૭ ]
વિશેષતા એ છે કે તેના ઉપરના અને નીચેના ચરમાન્તના વિષયમાં, જીવ દેશના સંબંધમાં પંચેન્દ્રિયોમાં પણ વચ્ચેનો ભંગ ન કહેવો જોઈએ. શેષ સર્વ પૂર્વવતુ છે. રૈવેયક વિમાનોની સમાન અનુત્તર વિમાન અને ઈષ~ાત્મારા પૃથ્વીનું કથન પણ કરવું જોઈએ. વિવેચન :
પૂર્વ સૂત્રોમાં લોકના છ દિશાના ચરમાંત પ્રદેશોમાં જીવાદિનું નિરૂપણ છે અને પ્રસ્તુત સૂત્રોમાં સાત પૃથ્વી, બાર દેવલોક, રૈવેયક, અનુત્તર વિમાન અને ઇષ~ાભારા પૃથ્વીની છદિશાઓના ચરમાંતમાં જીવાદિનું નિરૂપણ છે.
રત્નપ્રભા પૃથ્વીના પૂર્વાદિ ચાર દિશાના ચરમાન્તમાં જીવાજીવ સંબંધી કથન લોકના ચાર ચરમાન્તોની સમાન જીવદેશના ૧૫ ભંગ, જીવપ્રદેશના ૧૧ ભંગ અને અજીવના ૧૦ ભંગ થાય છે.
નખભા પથ્વીના ઉપરિતન ચરમાનામાં જીવદેશના ૧૬ ભંગ, શતક ૧૦/૧માં ઉક્ત વિમલા દિશાની વક્તવ્યતા અનુસાર જાણવા યથા-ત્યાં કોઈ જીવ નથી. કારણ કે તે એક પ્રદેશના પ્રતરરૂપ હોવાથી તેમાં જીવની સંભાવના નથી પરંતુ જીવ દેશ અને જીવ પ્રદેશ રહી શકે છે. તેમાં જે જીવના દેશ છે તે (૧) અવશ્ય એકેન્દ્રિય જીવના દેશ હોય છે, આ અસંયોગી એક ભંગ થાય છે. દ્વિસંયોગીમાં (૧) એકેન્દ્રિયના બહુ દેશ અને એક બેઇન્દ્રિયનો એક દેશ (૨) એકેન્દ્રિયના બહુ દેશ અને એક બેઇન્દ્રિયના બહુદેશ અથવા (૩) એકેન્દ્રિયના બહુ દેશ અને ઘણાં બેઇન્દ્રિયોના બહુ દેશ. આ દ્વિસંયોગી ત્રણ ભંગ બેઇન્દ્રિય સાથેના હોય છે. રત્નપ્રભા પૃથ્વીમાં બેઇન્દ્રિય જીવ હોય છે અને તે એકેન્દ્રિય કરતાં થોડા હોય છે. તેથી તેના ઉપરિતન ચરમાન્તમાં બે ઇન્દ્રિયનો એક દેશ અથવા બહુ દેશની સંભાવના રહે છે. આ રીતે બેઇન્દ્રિય તેઇન્દ્રિય, ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિય અને અનિદ્રિયના ત્રણ-ત્રણ ભંગ દ્વિસંયોગીના થાય છે. તેથી દ્વિસંયોગી પ૪૩=૧૫ ભંગ થાય છે. અસંયોગીનો એક ભંગ + દ્વિસંયોગી ૧૫ ભંગ = કુલ ૧૬ ભંગ થાય છે. જીવ પ્રદેશના ૧૧ ભગ– ત્યાં જે જીવ પ્રદેશ છે, તે (૧) અવશ્ય એકેન્દ્રિયના પ્રદેશ છે, આ અસંયોગીનો એક ભંગ થાય છે. દ્વિસંયોગી બે-બે ભંગ થાય છે. (૧) એકેન્દ્રિયના બહુ પ્રદેશ અને એક બેઇન્દ્રિયના બહુ પ્રદેશ છે, (ર) એકેન્દ્રિયના બહુ પ્રદેશ અને ઘણા બેઇન્દ્રિયોના બહુ પ્રદેશ છે. આ રીતે બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિય અને અનિદ્રિયના બે-બે ભંગ ગણતાં દ્વિસંયોગી પ૪૨ = ૧૦મંગ અને અસંયોગી એક ભંગ, કુલ ૧૧ ભંગ થાય છે. અજીવના ૧૧ ભેદ-રત્નપ્રભાના ઉપરિતન ચરમાન્તમાં અજીવના ૧૧ ભેદ છે. રૂપી અજીવના ચાર અને અરૂપી અજીવના સાત ભેદ છે કારણ કે તે સમયક્ષેત્રની અંદર હોવાથી ત્યાં અાસમય-કાલ પણ હોય છે. રત્નપ્રભાના અધસ્તન ચરમાત્તમાં:- તેનું કથન લોકના અધતન ચરમાન્તની સમાન કરવું જોઈએ. વિશેષતા એ છે કે પંચેન્દ્રિયમાં ત્રણ ભંગ કહેવા જોઈએ. કારણ કે રત્નપ્રભાના નીચેના ચરમાન્તમાં દેવરૂપ પંચેન્દ્રિય જીવોનું ગમનાગમન થતું હોવાથી એક પંચેન્દ્રિયનો એક દેશ અને બહુ દેશ બંને સંભવિત છે. તેથી પંચેન્દ્રિયના ત્રણ ભંગ કહેવા જોઈએ. બેઇન્દ્રિય આદિ જીવ તો મારણાંતિક સમુદ્રઘાતથી જાય છે. ત્યારે જ તેનો સંભવ છે, તેથી તેનો એક દેશ જ હોય છે, બહુ દેશ સંભવિત નથી. રત્નપ્રભાના અધસ્તન ચરમાત્તનું પ્રમાણ એક પ્રતરરૂપ સમવિભાગ છે, દંતાકાર નથી. તેથી તેનો બહુ દેશનો મધ્યમ ભંગ થઈ શકતો નથી. આ રીતે લોકના અધસ્તન ચરમાજોમાં અસંયોગી ૧ ભંગ, પંચેન્દ્રિયના ૩ ભંગ અને બેઇન્દ્રિયાદિના ચારના ૨ ભંગ એમ, ૪૪૨૦૮ ભંગ થાય છે. સર્વ મળીને ૧+૩+૪=૧૨ ભંગ જીવ દેશના થાય છે. જીવ પ્રદેશના ૧૧