Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૪૧૮ ]
શ્રી ભગવતી સૂત્ર-૪
कंविउव्वइ,जंजहा इच्छइ तंतहा विउव्वइ । एगेअसुरकुमारेदेवेउज्जुयंविउव्विस्सामीति वंकं विउव्वइ, वंकं विउव्विस्सामीति उज्जुयं विउव्वइ, जं जहा इच्छइ णो तंतहा विउव्वइ; से कहमेयं भंते ! एवं?
गोयमा !असुरकुमारा देवा दुविहा पण्णत्ता,तंजहा-मायिमिच्छदिट्ठि-उववण्णगा य अमायिसम्मदिट्ठिउववण्णगाय । तत्थणंजेसेमायिमिच्छदिट्ठी उववण्णए असुरकुमारे देवे से णं उज्जुयं विउविस्सामि त्ति वंकं विउव्वइ जावणोतंतहा विउव्वइ । तत्थणंजे से अमायिसम्मदिट्ठिउववण्णए असुरकुमारे देवे से उज्जुयं विउविस्सामि त्ति जावतंतहा विउव्वइ। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! એક અસુરકુમારાવાસમાં બે અસુરકુમાર દેવો, અસુરકુમાર દેવપણે ઉત્પન્ન થયા. તેમાંથી એક અસુરકુમાર દેવ સરળ રૂપની વિદુર્વણા કરવાની ઇચ્છા કરે તો સરલ વિકુર્વણા કરી શકે છે અને વક્ર રૂપની વિક્ર્વણા કરવાની ઇચ્છા કરે, તો વક્ર વિદુર્વણા કરી શકે છે. તે જે પ્રકારના અને જેવા રૂપની વિફર્વણા કરવાની ઇચ્છા કરે છે, તે જ પ્રકારના અને તેવા જ રૂપની વિફર્વણા કરે છે. અન્ય કોઈ એક અસુરકુમાર દેવ ઋજુવિકુર્વણા કરવાની ઇચ્છા કરે તો વક્ર રૂપની વિદુર્વણા થઈ જાય છે અને વક્રરૂપની વિદુર્વણા કરવાની ઇચ્છા કરે તો ઋજુ રૂપની વિદુર્વણા થઈ જાય છે, આમ તે દેવ જે પ્રકારે અને જેવા રૂપની વિદુર્વણા કરવાની ઇચ્છા કરે છે, તે પ્રકારે તેવા રૂપની વિદુર્વણા કરી શકતા નથી. હે ભગવ! તેનું શું કારણ છે?
ઉત્તર- હે ગૌતમ ! અસુરકુમારના બે પ્રકાર છે. યથા- માયીમિથ્યાદષ્ટિ ઉત્પન્નક અને અમાયીસમ્યગુદષ્ટિ ઉત્પન્નક. તેમાંથી જે માયમિથ્યાદષ્ટિ ઉત્પન્નક અસુરકુમાર દેવ છે, તે ઋજુ રૂપની વિદુર્વણા કરવાની ઇચ્છા કરે, તો પણ વક્રરૂપની વિદુર્વણા થઈ જાય છે યાવત્ જે પ્રકારે, જેવા રૂપની વિદુર્વણા કરવાની ઇચ્છા કરે છે, તે પ્રકારે, તેવા રૂપની વિફર્વણા કરી શકતા નથી અને જે અમાયી સમ્યગુદષ્ટિ ઉત્પન્નક અસુરકુમાર દેવ છે, તે ઋજુ રૂપની વિદુર્વણા કરવાની ઇચ્છા કરે તો તેવા જ પ્રકારના રૂપની થાવત્ વિદુર્વણા કરી શકે છે.
८ दोभते !णागकुमारा,पुच्छा? गोयमा ! जहाअसुरकुमारातहानागकुमारावि। एवं जावथणियकुमारा । वाणमंतस्जोइसियवेमाणिया एवं चेव ॥ सेवं भंते ! सेवं भंते ! ॥ ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! બે નાગકુમાર દેવો, એક નાગકુમારાવાસમાં દેવપણે ઉત્પન્ન થયા. ઇત્યાદિ પૂર્વોક્ત પ્રશ્ન પૂછવો.?
ઉત્તર- હે ગૌતમ ! અસુરકુમારની જેમ નાગકુમાર દેવોના વિષયમાં પણ જાણવું. આ જ રીતે સ્વનિતકુમાર સુધી અને વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિકના વિષયમાં જાણવું જોઈએ. // હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. // વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં દેવોના વૈક્રિય સામર્થ્યની તરતમતા અને તેના કારણને પ્રદર્શિત કર્યું છે.
ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક આ ચારે જાતિના દેવોમાંથી કેટલાક દેવો સ્વેચ્છાનુસાર વિદુર્વણા કરી શકે છે અને કેટલાક દેવો સ્વેચ્છાનુસાર વિદુર્વણા કરી શકતા નથી. તેનું કારણ તેના