Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શતક-૧૯ : ઉદ્દેશક-૧૦
છ OS
શતક-૧૯ : ઉદ્દેશક-૧૦
વનચર સુર
૫૧૫
RO YOG
વાણવ્યંતર દેવોનો આહાર :
१ वाणमंतरा णं भंते ! सव्वे समाहारा ? एवं जहा सोलसमसए दीवकुमारुद्देसओ નાવિિક્રય ત્તિ ૫ સેવ મતે ! એવું તે ! ॥
ભાવાર્થ:- પ્રશ્ન– હે ભગવન્ ! સર્વ વાણવ્યંતર દેવો સમાન આહારવાળા હોય છે, ઇત્યાદિ પ્રશ્ન ?
ઉત્તર– હે ગૌતમ ! શતક-૧૬/૧૧ દ્વીપકુમારોદ્દેશક અનુસાર યાવત્ અલ્પર્ધિક છે, ત્યાં સુધી જાણવું જોઈએ. ॥ હે ભગવન્ ! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. I
વિવેચન :
વાણવ્યંતર દેવો વન વગેરે શૂન્ય પ્રદેશમાં વિશેષતયા સંચરણ કરે છે તેથી તેઓ વનચરસુર– વનોમાં સંચરણ કરનારા દેવો કહેવાય છે.
|| શતક ૧૯/૧૦ સંપૂર્ણ ॥
|| શતક ૧૯ સંપૂર્ણ ॥
પ્રસ્તુત ઉદ્દેશકના વિષયનું વિસ્તૃત વર્ણન શતક-૧૬/૧૧માં છે. તેનો પ્રશ્ન આ પ્રમાણે છે– શું સર્વ વાણવ્યંતર દેવો સમાન આહારવાળા, સમાન શરીરવાળા અને સમાન શ્વાસોચ્છ્વાસવાળા છે? તેના ઉત્તરમાં પ્રભુએ કહ્યું કે તેમ શક્ય નથી. ત્યાર પછી તેની લેશ્યા, મહર્દિક, અલ્પર્ધિક આદિ વિષયક વર્ણન છે. તે સર્વ શતક-૧૬/૧૧થી જાણવું.