Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| ૬૦૦ |
શ્રી ભગવતી સૂત્ર-૪
પરિભાષાથી સ્પષ્ટ થઈ જાય છે. એકેન્દ્રિય સિવાય સર્વ સંસારી જીવોમાં નારકીની જેમ પાંચે ય વિકલ્પથી જીવો ઉત્પન્ન થાય છે.
તેઓના અલ્પબદુત્વથી જણાય છે કે સંસારી જીવોમાં એક સાથે અધિક સંખ્યામાં ઉત્પન્ન થનારા જીવોની સંખ્યા વધારે-વધારે હોય છે અને સિદ્ધોમાં અલ્પ અલ્પતમ સંખ્યામાં સિદ્ધ થનારા જીવોની સંયુક્ત સંખ્યા વધારે થાય છે. માટે સંસારી જીવોના અલ્પબદુત્વમાં પર્કના પાંચ વિકલ્પો અનુક્રમથી હોય છે. જ્યારે સિદ્ધોના અલ્પબદુત્વમાં તેનો વિપરીત ક્રમ અર્થાત્ પશ્ચાનુપૂર્વી ક્રમ હોય છે.
એકેન્દ્રિય જીવોમાં પાંચ વિકલ્પમાંથી અંતિમ બે વિકલ્પ હોય છે. કારણ કે પ્રથમ ત્રણ બોલમાં સંખ્યાતા જીવોનો જ સમાવેશ થાય છે. એકેન્દ્રિયોમાં એક સાથે ન્યૂનતમ અસંખ્યાતા જીવોની ઉત્પત્તિ થાય છે. તેથી તે જીવોમાં અંતિમ બે બોલોનું જ અલ્પબદુત્વ થાય છે. શેષ સર્વ સંસારી જીવો અને સિદ્ધોમાં પાંચ ય બોલોનું અલ્પબદુત્વ થાય છે. દ્વાદશ સમર્જિતઃ१९ णेरइया णं भंते! किंबारससमज्जिया,णोबारससमज्जिया,बारसरण यणोबारसएण यसमज्जिया, बारसएहिं समज्जिया, बारसएहि यणोबारसएण यसमज्जिया? गोयमा! णेरइया बारससमज्जिया वि जावबारसएहि य णोबारसएण यसमज्जिया वि।
सेकेणतुणं भंते ! जावसमज्जिया वि?
गोयमा !जेणंणेरड्या बारसएणंपवेसणएणंपविसंतितेणंणेरड्याबारससमज्जिया। जेणंणेरड्या जहण्णेण एक्केण वा दोहिं वातीहि वा उक्कोसेणं, एक्कारसरण पवेसणएण पविसति तेणणेरड्या णोबारससमज्जिया। जेणणेरड्या बारसएण, अण्णेण य जहण्णेण एक्केणंवा दोहिं वा तीहिंवा उक्कोसेणं एक्कारसएणं पवेसणएणं पविसंतितेणंणेरइया बारसरण यणोबारसएणयसमज्जिया। जेणंणेरइयाणेगेहिं बारसएहिं पवेसणगंपविसंतिते णंणेरड्या बारसएहिंसमज्जिया। जेणंणेरड्या णेगेहिं बारसएहि अण्णेण यजहण्णेणंएक्केण वादोहिं वातीहिंवा उक्कोसेणंएक्कारसएणंपवेसणएणंपविसंतितेणंणेरड्या बारसएहि य णोबारसएण य समज्जिया । से तेणद्वेणं गोयमा ! जावसमज्जिया वि । एवं जाव थणियकुमारा। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! નૈરયિક જીવો શું (૧) દ્વાદશ-સમર્જિત છે, (૨) નો દ્વાદશ સમર્જિત છે, (૩) એક દ્વાદશ-એક નોદ્વાદશ સમર્જિત છે, (૪) અનેક દ્વાદશ સમર્જિત છે, કે (૫) અનેક દ્વાદશ એક નોદ્વાદશ સમર્જિત છે. ઉત્તર- હે ગૌતમ!નૈરયિકો દ્વાદશ સમર્જિત પણ છે, વાવઅનેક દ્વાદશ અને એક નોદ્વાદશ સમર્જિત પણ છે.
પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે નૈરયિકો યાવતુ અનેક દ્વાદશ અને એક નોદ્વાદશ સમર્જિત પણ છે? ઉત્તર- હે ગૌતમ! (૧) જે નૈરયિકો એક સમયમાં બારની સંખ્યામાં પ્રવેશ કરે છે તે દ્વાદશ-સમર્જિત છે. (૨) જે નૈરયિકો જઘન્ય એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટ અગિયાર સુધીની સંખ્યામાં પ્રવેશ કરે છે, તે નો દ્વાદશ