Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 674
________________ ૧૦ | શ્રી ભગવતી સૂત્ર-૪ જીવોમાં ઉત્પન્ન થઈને પુનઃ શાલિ, વ્રીહી યાવત જુવારના મૂળપણે ઉત્પન્ન થાય, તો આ પ્રકારે કેટલો કાલ સુધી ગમનાગમન કરે છે? ઉત્તર-હે ગૌતમ!શતક–૧૧/૧ ઉત્પલોદ્દેશક અનુસાર જાણવું જોઈએ. પૃથ્વીકાયની જેમ અપ્લાયથી મનુષ્યો સુધીનું કથન આ જ રીતે કરવું. તેના આહારનું કથન ઉત્પલોદ્દેશકની સમાન જ છે. સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનેક વર્ષની છે. સમુદ્યાતથી સમવહત મરણ અને ઉદ્વર્તના ઉત્પલોદ્દેશકની સમાન છે. |९ अह भंते !सव्वपाणा जावसव्वसत्ता साली-वीही जावजवजक्गमूलगजीवत्ताए કવવાપુળ્યા હતા જોયમાં !અલ અલુવા ખેતલુ | સેવ મતે સેવ અને ! ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શું સર્વ પ્રાણ, ભૂત, જીવ અને સત્ત્વ શાલી, વ્રીહિ થાવત જુવારના મૂળના જીવપણે પહેલાં ઉત્પન્ન થઈ ગયા છે? ઉત્તર-હા, ગૌતમ! અનેક વાર અથવા અનંતવાર ઉત્પન્ન થઈ ગયા છે../ હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. .. વિવેચન : પ્રસ્તુત સૂત્રોમાં શાલી આદિના મૂળરૂપે ઉત્પન્ન થનારા જીવોની આગતિ, ઉત્પત્તિ સંખ્યા આદિ તેત્રીસ દ્વારોનું વર્ણન પ્રાયઃ શતક ૧૧/૧ અને પ્રજ્ઞાપના સૂત્ર પ્રમાણે જાણી લેવાના સૂચન સાથે અહીં સંક્ષિપ્ત કથન કર્યું છે. Uવ વ વન્ન :-દેવતાને છોડીને શેષ કથન પૂર્વવતુ જાણવું. પ્રજ્ઞાપના સૂત્રોનુસાર ૬૪ જાતિના દેવો મરીને વનસ્પતિમાં ઉત્પન્ન થાય છે પરંતુ તે પુષ્પ આદિ વનસ્પતિના શુભ વિભાગોમાં જ ઉત્પન્ન થાય છે, મૂળ આદિ અશુભ વિભાગમાં ઉત્પન્ન થતા નથી. તેથી મૂળના આ પ્રથમ ઉદ્દેશકમાં દેવની ઉત્પત્તિનો નિષેધ છે. અપહાર :- તે શાલિ આદિના જીવોનો પ્રતિસમયે અપહાર કરાય અર્થાતુ એક-એક જીવને બહાર કાઢવામાં આવે અર્થાત તેની ગણતરી કરાય તો અસંખ્ય ઉત્સર્પિણી-અવસર્પિણીકાલ વ્યતીત થવા છતાં પણ તેનો ઉપહાર થતો નથી. આ પ્રકારનું અપહારરૂપ કાર્ય ક્યારે ય કોઈએ કર્યું નથી અને કરશે પણ નહીં. માત્ર સંખ્યાને સમજવા માટેનું આ કથન છે. બંધ વેદન- ઉદય-ઉદીરણા:- શાલી આદિના મૂળનો જીવ જ્ઞાનાવરણીયાદિ આઠ કર્મોનો બંધક, વેદક અને ઉદીરક છે. લેયા - અહીં મૂલ સંબંધી ઉદ્દેશક હોવાથી, તેમાં દેવ આવીને ઉત્પન્ન થતા નથી, તેથી તેનો લેશ્યા નથી, પ્રથમ ત્રણ લેશ્યા જ હોય છે અને ત્રણ વેશ્યાના એકવચન, બહુવચનથી સંબંધિત અસંયોગીના ત્રણ-ત્રણ ભંગ થતાં છ ભંગ થાય છે– કૃષ્ણ-નીલ, કૃષ્ણ-કાપોત, નીલ-કાપોત આ હિસંયોગીના ત્રણ વિકલ્પ થાય છે. પ્રત્યેકના એકવચન અને બહુવચન સંબંધી ચાર-ચાર ભંગ થતા ૧૨ ભંગ થાય છે. ત્રિસંયોગી એકવચન-બહુવચન સંબંધી આઠ ભંગ થાય છે. આ રીતે કુલ ૬+૧૨+૮ = ૨૬ ભંગ થાય છે. ભવાદેશ-કાલાદેશઃ- ભવની અપેક્ષાએ જઘન્ય બે ભવ અને ઉત્કૃષ્ટ અસંખ્યાત ભવ સુધી ગમનાગમન કરે છે. કાલની અપેક્ષાએ જઘન્ય અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ અસંખ્યાતકાલ સુધી ગમનાગમન કરે છે.

Loading...

Page Navigation
1 ... 672 673 674 675 676 677 678 679 680 681 682 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698 699 700 701 702 703 704 705 706