Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શતક–૧૯: ઉદ્દેશક-૩
[[ ૪૭૧ |
શતક-૧૯: ઉદ્દેશક-૩
પૃથ્વી
પૃથ્વીકાયની બાર દ્વારથી પ્રરૂપણા:(૧) સ્યાદ્ દ્વાર:| १ रायगिहे जावएवं वयासी-सिय भंते ! जावचत्तारिपंच पुढविकाइया एगयओ साहारणसरीरंबंधति बंधित्ता तओ पच्छा आहारैति वा परिणामेति वा सरीरंवा बंधति?
गोयमा !णोइणटेसमटे। पुढविकाइयाणं पत्तेयाहारा पत्तेयपरिणामा पत्तेयं सरीरं बंधति, बंधित्ता तओ पच्छा आहारैति वा परिणामति वा सरीरं वा बंधति । ભાવાર્થ – પ્રશ્ન- રાજગૃહનગરમાં ગૌતમસ્વામીએ આ પ્રમાણે પૂછયું- હે ભગવન્! કદાચિત્ બે, ત્રણ, ચાર, પાંચ પથ્વીકાયિક જીવો(કાર્પણ કાયયોગથી આહારગ્રહણ કરીને, પરિણમાવીને) એક સાથે મળીને શું એક સાધારણ શરીર બાંધે છે અર્થાત્ બધા વચ્ચે એક શરીર બનાવે છે? તે શરીર બનાવીને પછી (જીવન પર્યંત) તે સાધારણ શરીર દ્વારા આહાર કરે છે? આહાર પરિણાવે છે અને શરીર બંધ કરે છે અર્થાત્ શરીર પુષ્ટ કરતા રહે છે? - ઉત્તર- હે ગૌતમ ! તેમ થતું નથી. તે પૃથ્વીકાયના જીવો પૃથક-પૃથક આહાર કરનારા અને પરિણમાવનારા છે અર્થાત્ પૃથક-પૃથક આહાર કરી, પરિણાવીને પોત-પોતાના ભિન્ન-ભિન્ન શરીરનો બંધ કરે છે. શરીર બનાવ્યા પછી પોત-પોતાના તે શરીર દ્વારા(જીવન પર્યત) આહાર ગ્રહણ કરે છે, પરિણાવે છે અને શરીરને પુષ્ટ કરતાં રહે છે. (ર) લેશ્યા દ્વાર:| २ तेसिणं भंते ! जीवाणं कइ लेस्साओ पण्णत्ताओ? गोयमा ! चत्तारिलेस्साओ पण्णत्ताओ,तंजहा-कण्हलेस्सा,णीललेस्सा,काउलेस्सा,तेउलेस्सा । ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન્! પૃથ્વીકાયિક જીવોમાં કેટલી વેશ્યાઓ હોય છે? ઉત્તર-હે ગૌતમ! ચાર લેશ્યાઓ હોય છે. યથા- કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા, કાપોતલેશ્યા અને તેજલેશ્યા. (૩) દષ્ટિ દ્વાર:| ३ तेणं भंते !जीवा किं सम्मदिट्ठी, मिच्छादिट्ठी, सम्मामिच्छादिट्ठी? गोयमा !णो सम्मदिट्ठी, मिच्छादिट्ठी, णो सम्मामिच्छादिट्ठी। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તે જીવ સમ્યગુદૃષ્ટિ છે, મિથ્યાદષ્ટિ છે કે મિશ્ર છે? ઉત્તર- હે ગૌતમ!