Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૧૭૪ ]
શ્રી ભગવતી સત્ર-૪
તર્વતિ?
गोयमा ! जाओ इमाओ चंदिमसूरियाणं देवाणं विमाणेहिंतोलेस्साओ बहिया अभिणिस्सडाओताओओभार्सेति पभार्सेति उज्जोएंति तर्वेति । एवं एएणंगोयमा !ते सरूवी सकम्मलेस्सा पोग्गला ओभार्सेति पभासेंति उज्जोएंति तर्वेति । શબ્દાર્થ - વૃદિયામગિરૂડો બહાર નીકળેલી. ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! કયા સરૂપી અને કર્મલેશ્ય પુદ્ગલ સ્કંધ પ્રકાશિત ઉદ્યોતિત, પ્રદ્યોતિત અને પ્રભાસિત થાય છે?
ઉત્તર- હે ગૌતમ! ચંદ્ર અને સૂર્યના વિમાનોમાંથી બહાર નીકળેલા પ્રકાશિત પુદ્ગલ પ્રકાશિત ઉદ્યોતિત, પ્રદ્યોતિત અને પ્રભાસિત થાય છે. હે ગૌતમ! આ રીતે આ સર્વ સરૂપી કર્મલેશ્ય પુગલ-સ્કંધ પ્રકાશિત કાવત્ પ્રભાસિત થાય છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં પ્રકાશિત પુગલોનું પ્રતિપાદન છે. પ્રકાશ,અંધકાર,ઉદ્યોત,આતાપ આદિ પુદ્ગલની પર્યાયો છે. તેમ છતાં બધા પુદગલો પ્રકાશિત થતાં નથી. ચંદ્ર-સૂર્યાદિની તેજોલેશ્યાથી-તેજથી તેના વિમાનમાંથી નીકળતા પુગલો પ્રકાશિત થાય છે. જો કે ચંદ્ર-સૂર્યના વિમાનના પુદ્ગલો પૃથ્વીકાયિક હોવાથી સચેતન છે, તેથી તેમાં કર્મલેશ્યા હોય છે, પરંતુ તેમાંથી નીકળેલા પ્રકાશના પુગલો કર્મલેશ્યાવાળા નથી, તેમ છતાં તેમાંથી નીકળ્યા હોવાથી તે પ્રકાશપુદ્ગલ રૂપ કાર્યમાં કારણનો ઉપચાર કરીને તેને સકર્મલેશ્ય કહ્યા છે. ચોવીસ દંડકોમાં પુદ્ગલ પ્રરૂપણા:| ४ णेरइयाणं भंते ! किं अत्ता पोग्गला, अणत्ता पोग्गला? गोयमा ! णो अत्ता पोग्गला, अणत्ता पोग्गला। ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! નૈરયિકોને આત્ત-સુખકારક, આત્માનુકૂલ પુગલ હોય છે કે અનારદુઃખકારક પુદ્ગલ હોય છે? ઉત્તર- હે ગૌતમ! તેને આત્ત પુદ્ગલ હોતા નથી, અનાર પુદ્ગલ હોય છે.
५ असुरकुमाराणं भंते ! किं अत्ता पोग्गला, अणत्ता पोग्गला? गोयमा ! अत्ता पोग्गला,णो अणत्ता पोग्गला । एवं जावथणियकुमाराण । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અસુરકુમારોને આત્ત પુલ હોય છે કે અનાર પુલ હોય છે? ઉત્તર- હે ગૌતમ! તેને આત્ત પુદ્ગલ હોય છે, અનાત્ત પુદ્ગલ હોતા નથી, આ રીતે સ્વનિતકુમારો સુધી કહેવું જોઈએ. |६ पुढविकाइयाणं पुच्छा? गोयमा !अत्ता वि पोग्गला, अणत्ता वि पोग्गला । एवं जावमणुस्साणं । वाणमंतस्जोइसियवेमाणियाणं जहा असुरकुमाराणं । ભાવાર્થ - પ્રશ્ન-હે ભગવન્! પૃથ્વીકાયિક જીવોને આત્ત પુદ્ગલ હોય છે કે અનાર પુલ હોય છે? ઉત્તર- હે ગૌતમ! તેને આત્ત પુદ્ગલ પણ હોય છે, અનાત્ત પુદ્ગલ પણ હોય છે. આ રીતે મનુષ્ય સુધીના