Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તે પણ સંપત્તિના જે જ હેવાને કારણે અહીં વચનને પણ સંપતિ રૂપે પ્રકટ કરવામાં આવેલ છે. જ્યારે વચન હિત, મિત, સત્ય અને પ્રિય હોય ત્યારે જ વચન સપંતુ સંભવી શકે છે.
(૫) વાચના સંપતુ–ગુરુને મુખે શ્રુતને સ્પષ્ટ રૂપે શીખવું તેનું નામ વાચના છે. શ્રવણ રમણીયતા આદિ કારણેને લીધે તે વાચનાને પણ સંપત્તિ સમાન ગણીને વાચના સંપત કહ્યા છે.
(૬) મતિ પત્–શીવ્રતા પૂર્વક કોઈ પણ પ્રશ્નને અવગ્રહણ કરનારી જે બુદ્ધિ છે તેનું નામ મતિ છે. તેને પણ એક પ્રકારની સંપત્તિ જ કહેવાનું કારણ એ છે કે હેય અને ઉપાદેયને વિવેક કરાવવામાં એ મતિ જ મદદરૂપ બને છે,
(૭) પ્રગ સંપ-દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને જાણીને વાદાદિ કરવા રૂપ જે આત્મ સામર્થ્ય છે તેનું નામ પ્રાગ છે. આ પ્રયોગને જે સંપત્તિના સમાન ગણાવવામાં આવ્યો છે, તેનું કારણ એ છે કે પ્રાગ સંપતમાં પુરુષને વાદવિવાદ કરવાનું લકત્તર સામર્થ્ય હોય છે.
(૮) સંગ્રહ પરિજ્ઞા-દ્રવ્યની અપેક્ષાએ અપાત્રાદિને એકત્ર કરવા અને ભાવની અપેક્ષાએ અનેક શાસ્ત્રો તથા આપ્તજનો (શિ)ને એકત્રિત કરવા તેનું નામ સંગ્રહ છે. આ સંગ્રહ કરવામાં જે વિચક્ષણતાની જરૂર પડે છે તેને સંગ્રહ પરિજ્ઞા કહે છે.
આ આચારસંપન્ આદિ આઠ સંપત્તિઓનું વિસ્તૃત વિવેચન દશાશ્રુત કન્યના ચોથા અધ્યયનની મુનિહર્ષિણ ટીકામાં કરવામાં આવ્યું છે. તે આ વિષયનું વિસ્તૃત સ્વરૂપ જાણવાની ઈચ્છાવાળા પાઠકએ તે ટીકા વાંચી જવી છે સૂ. ૧૪
મહાનિધિના નિરૂપણ
ગુણીજને ગુરૂપી રન્નેના નિધાન (ભંડાર) જેવાં હોય છે, આ પ્રકારના પૂર્વસૂત્ર સાથેના સંબંધને લીધે હવે સૂત્રકાર મહાનિધિઓના સ્વરૂપનું નિરૂપણ કરે છે–“મેનેજું મહાનિરી” ઈત્યાદિ–
ટીકા–ચકવર્તીઓના નવ મહાનિધિએ કહ્યા છે. તે પ્રત્યેક મહાનિધિ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫