Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પાપશાસ્ત્રોંકા નિરૂપણ
ઉપરના સૂત્રમાં આઠ પ્રકારના અક્રિયાવાદીઓની પ્રરૂપણા કરવામાં આવી પાપશાસ્ત્રનાજ્ઞાનથી સ'પન્ન હેાય છે. તે કારણે હવે સૂત્રકાર આઠ સ્થાન રૂપે પાપશાઓનું નિરૂપણ કરે છે—
તે
મહા નિમિત્તના નીચે પ્રમાણે આઠ પ્રકાર કહ્યા છે—(૧) ભૌમ, (૨) ઔત્પાત, (૩) સ્વામ, (૪) આન્તરીક્ષ, (૫) આંગ, (૬) સ્વર (૭) લક્ષણ અને (૮) વ્યંજન,
ભૂત, વમાન અને ભવિષ્યકાળ સંબધી અતીન્દ્રિય પદાર્થોના પરિજ્ઞાનમાં નિમિત્તભૂત થાય છે તેને નિમિત્ત કહે છે. આ નિમિત્તનુ પ્રતિપાદક જે શાસ્ત્ર છે તેને નિમિત્તશાસ્ત્ર કહે છે. આ નિમિત્ત પ્રત્યક્ષ શાસ્ર સૂત્ર, વૃત્તિ અને વાર્તિકની અપેક્ષાએ ક્રમશઃ સહસ્રલક્ષકોટિ પ્રમાણ છે. એજ ખ્યાલથી તેને ‘મત્ ' મહા વિશેષણુ લગાડવામાં આવ્યુ છે. તે મહાનિમિત્ત શાસ્ત્રના આઠ પ્રકારાનું સ્વરૂપ હવે સમજાવવામાં આવે છે—
જે શાસ્ત્ર ભૂકંપ આદિ રૂપ ભૂમિના વિકારાનુ નિરૂપક હોય છે તેને ભૌમ કહે છે. કહ્યું પણ છે કે-~~~
" शब्देन महता भूमिः ” ઇત્યાદિ—
જો ધરતીકપ થાય અને સાથે સાથે ભૂમિમાંથી ઘણા ભારે અવાજ (કડાક) થાય, તેા તેના ફલસ્વરૂપે સેનાપતિ, અમાત્ય, રાજા અને રાજ્યને કાઈ ભારે આફત આવી પડે છે.
ઔપાત—મજ્જા, રુધિરવૃષ્ટિ આદિ રૂપ ઉત્પાતના આગમનની સૂચક જે વસ્તુઓ બને છે, તેમનુ ફળ દર્શાવનારૂ જે શાસ્ત્ર છે, તેને ઔપાતશાસ્ત્ર કહે છે. કહ્યું પણ છે કે-“ મજ્ઞાનિ રુધિરાથીનિ ”
જે દેશમાં ઈન્દ્ર મજાની, લાહીની, હાડકાંથી, ધાન્યાગારની કે ચીની વૃષ્ટિ વરસાવે છે, ત્યાંના રાજા, અમાત્ય, સેનાપતિ અને રાષ્ટ્ર ઉપર ભય આવી પડે છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૩૬