Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
જેમ કે ગોબર (છાણ) રૂપ એક નિમાં વિચિત્ર આકારના કમી આદિ ઉત્પન્ન થાય છે. તેથી તેમની કુલટિ સંખ્યા ૧૦ લાખ કહી છે. સૂત્રમાં “નારૂણી મુકુરુષસચરણા” પાઠ આપવામાં આવે જેતે હતું, પણ એ પાઠ આપવાને બદલે “ સારુ કુહાણીમુદચનાલા આ પ્રકારને પાઠ આપવામાં આવ્યું છે. કારણ કે તેમાં “નળીમુદ” શબ્દનો-પ્રાકૃત હોવાથી–પરનિપાત થા છે. એ જ પ્રમાણે જે “હર પરિરઇઝન્દ્રિતિનિવ”આ સૂત્રપાઠ આવે છે તેનું કથન પણ સમજવું. છાતીની મદદથી સરકતા જીવોને ઉર પરિસર્ષ કહે છે. એ સૂત્ર ૮૮ છે
ચયાદિકા નિરૂપણ
કર્મ પુદ્ગલેના ચયાદિને સદ્ભાવ હોય, તે જ પંચેન્દ્રિય તિર્યાનિક આદિ જીવોની ઉત્પત્તિ સંભવી શકે છે, તેથી હવે સૂત્રકાર ચય, ઉપચય આદિનું નિરૂપણ કરે છે, “ગીરાનું સદ્ભાનિધ્યત્તિ પાસે” ઈત્યાદિ–(સૂ ૮૯).
ટીકા-સિદ્ધ સિવાયના છાએ કષાયાદિ પરિણામોને આધીન થઈને પ્રથમસમયૂકેન્દ્રિય આદિ રૂપ ૧૦ પર્યાયે દ્વારા નિષ્પાદિત કર્મવર્ગણારૂપ પુદ્ગલેને પાપકર્મરૂપે-ઘાતિયા કર્મ રૂપે અથવા સર્વ કર્મ રૂપે ભૂતકાળમાં ગ્રહણ કર્યા છે, વર્તમાનમાં ગ્રહણ કરે છે અને ભવિષ્યમાં પણ ગ્રહણ કરશે. આ પ્રકારના આ કથન દ્વારા સૂત્રકારે પાપકર્મરૂપે એકત્ર થયેલાં પુદ્ગલેની સાથે જીવને શૈકાલિક અન્વય રૂ૫ સંબંધ પ્રગટ કર્યો છે. તે દસ સ્થાન નીચે પ્રમાણે છે પ્રથમ સમકેનિદ્રય નિવર્તિત પુદ્ગલથી લઈને અપ્રથમ સમય પંચેન્દ્રિય નિર્વર્તિત પુદ્ગલ પર્યન્તના દસ સ્થાને અહીં ગ્રહણ કરવા જોઈએ. હવે સૂત્રકાર આ દસે સ્થાને અર્થ સ્પષ્ટ કરે છે.
એકેન્દ્રિય પર્યાયના પ્રથમ સમયમાં વર્તમાન જે જીવ છે તેનું નામ પ્રથમ સમકેન્દ્રિય છે. આ એકેન્દ્રિય જીવો દ્વારા નિષ્પાદિત જે પુદ્ગલે છે તેમને પ્રથમ સમકેન્દ્રિય નિષ્પાદિત પુદ્ગલ કહે છે. અહીં “પર્યન્ત” પદ દ્વારા નીચેનાં આઠ સ્થાને ગ્રહણ થયાં છે.
(૨) અપ્રથમ સમકેન્દ્રિય નિર્વર્તિત પુલે, (૩) પ્રથમ સમયદ્વીન્દ્રિય નિર્વર્તિત પલે, (૪) અપ્રથમસમયદ્વીન્દ્રિય નિર્વતિત પુલ, (૫) પ્રથમ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૨૮૦