Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
નિપુણ પુરૂષકા નિરૂપણ
ઉત્પાત આદિ કૃતેનું નિરૂપણ કરવામાં આવ્યું તે શુતોને જાણનાર નિપુણ હોય છે. તેથી હવે સૂત્રકાર નિપુણ પુરૂના સ્વરૂપનું કથન કરે છે.
ma mજવા વધુ પૂછાત્તા” ઈત્યાદિ (સૂ ૨૦) ટીકાઈજે પુરુષ સૂફમજ્ઞાનથી યુક્ત હોય છે તેમને અથવા જેઓ ચતુર હોય છે તેમને નૈપુણિક કહે છે. એવા તે નપુણિક આચાર્ય આદિ રૂપ સમજવા. નૈપુણિ કોના નવ પ્રકાર પડે છે–(૧) સંખ્યાત, (૨) નિમિત્ત, (૩) કાયિક, (૪) પુરાણ, (૫) પારિહસ્તિક, (૫) પાપડિત, (૭) વાદિક (૮) ભૂતિકર્મ અને (૯) ચિકિત્સક,
સંખ્યાત પદ ગણિતનું વાચક છે. આ ગણિતના વિષયમાં જે માણસ નિપુણ હોય છે તેને “સંખ્યાત' કહે છે. અથવા “સંહાળે” આ પદની છાયા સિંહાને” પણ થાય છે. આ સંસ્કૃત છાયાની દષ્ટિએ તેને અર્થ આ પ્રમાણે થાય છે. ગણિતને જે પ્રથમ નિપુણ થાય છે તેને સંખ્યાન કહે છે. એજ પ્રકારનું કથન નિમિત્ત આદિ પદે વિષે પણ સમજવું. અતીત ( ભૂત) અને ભવિષ્યકાળ સંબંધ શુભ અશુભનું સૂચક જે શાસ્ત્ર છે તેનું નામ નિમિત્ત છે. તે શાસ્ત્રમાં નિપુણ પુરૂષ માટે નિમિત્તપદ પ્રયુક્ત થયું છે. ઈડા, પિંગલા, સુષુણ્ણા આદિ પ્રાણતત્વનું નિરૂપક જે શારીરિક શાસ્ત્ર છે તેને કાયિક કહે છે. તે શાસ્ત્રમાં નિપુણ હોય એવા પુરુષને પણ કાયિક કહે છે. પુરાણ પદ પુરાવા (વૃદ્ધ)નું વાચક છે. તે વૃદ્ધ ચિરંજીવી હોવાને કારણે અનેક પ્રકારના પ્રસંગેને દષ્ટા હોય છે. તેથી તેને નૈપુણિક કહેવામાં આવે છે. અથવા પુરા ભવવૃત્તનું પ્રાચીન સમયના ઇતિહાસનું પ્રતિપાદન કરનાર જે શાસ્ત્ર છે, તેને પુરાણ કહે છે, તે શાસ્ત્રને જે જ્ઞાતા હોય છે તે પણ સામાન્ય રીતે નિપુણ જ હોય છે પારિહસ્તિક સમસ્ત કાર્યોને જે સમુચિત સમયમાં પૂરાં કરનારો હોય છે તે પણ સ્વાભાવિક રીતે નિપુણ જ હોય છે તેથી એવી નિપુણ વ્યક્તિને પારિહસ્તિક કહેલ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૧૦૨