Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
નામ લયનપુણ્ય છે. સંસ્તારક (બિછાનું) આદિનું દાન દેવાથી જે પુણ્ય પ્રાપ્ત થાય છે તેનું નામ શયનપુણ્ય છે. સદ્ભાવના ભાવનારા મન વડે જે પુણ્ય પ્રાપ્ત થાય છે તેનું નામ મન પુય છે. સ્વાધ્યાય આદિમાં લીન થયેલી વાણી વડે જે પુણ્ય થાય છે તેનું નામ વાક્પુણ્ય છે, સુદેવ સુધર્મ અને સુસાધુની સેવા કરવાથી જે પુણ્ય પ્રાપ્ત થાય છે તેનું નામ કાયપુણ્ય છે. તથા સુદેવ અને સુસાધુને નમસ્કાર કરવાથી જે પુણ્ય પ્રાપ્ત થાય છે તેનું નામ નમસ્કાર પુય છે. એ સૂત્ર ૧૭ છે
આ પ્રકારે પુણ્યના ભેદનું કથન કરીને હવે સૂત્રકાર આ પુણ્ય કરતાં વિપરીત એવાં પાપનાં કારણનું કથન કરે છે–
પાપક કારણોંકા નિરૂપણ
“જીવ ઘારાવાળા ઉછળત્ત ” ઈત્યાદિ–(ફૂ. ૧૮) ટીકાર્થ-અશુભ પ્રકૃતિ રૂપ પાપને બધ નીચેનાં નવ કારણે વડે બંધાય છે-(૧) પ્રાણાતિપાત, (૨) મૃષાવાદ, (૩) અદત્તાદાન, (૪) મિથુન, (૫) પરિગ્રહ, (૬) કોધ, (૭) માન, (૮) માયા અને (૯) લેલ, પ્રાણીઓની હિંસા કરવી તેનું નામ પ્રાણાતિપાત છે. અસત્ય વચન બોલવું તેનું નામ મૃષાવાદ છે બાકીનાં સાતે પદોને અર્થ સુગમ છે. આ સૂત્ર દ્વારા સૂત્રકારે નવ પાપકારણેનું નિરૂપણ કર્યું છે. એ સૂત્ર ૧૮ છે
પાપકારણોનું કથન કરીને હવે સૂત્રકાર પાપકૃત પ્રસંગેનું કથન કરે છે“જા વિદે વાવસુચq gmત્ત ઈત્યાદિ–. ૧૯)
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૧ ૦ ૦