Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 264
________________ કહે છે. એટલે કે જે નારકેને ઉત્પન્ન થયા બાદ એક પણ સમય વ્યતીત થઈ ગયે નથી–જેઓ બરાબર આ સમયે જ ત્યાં ઉત્પન્ન થયા છે, એવા નારકાને અનન્ત૫૫નક નારકો કહે છે. પરમ્પરે૫૫ન્ન-જે નારકેને નારક રૂપે ઉત્પન્ન થયાને બે આદિ સમય વ્યતીત થઈ ગયા છે તે નારકેને પરમ્પરે પપન કહે છે. આ બન્ને કાળકૃત ભેદો છે. અનન્તરાવગાઢ-જે નારકે અવ્યવહિત ક્ષેત્રપ્રદેશમાં અવગાહનાવાળા છે, તે નારકોને અનન્તરાવગાઢ કહે છે. અથવા-પ્રથમ સમયમાં જે નારકે ક્ષેત્રપ્રદેશમાં અવગાઢ છે તે નારકોને અનન્તરાવગઢ છે કહે છે. પરમ્પરાવગાઢ-જે નારકોને પરમ્પરાવગાઢ (અવગાહનાવાળા) છે, તે નારાને પરસ્પરાવગાઢ કહે છે. અથવા બે આદિ સમયના વ્યવધાનથી જે નારકે ક્ષેત્રપ્રદેશમાં અવગાહનાવાળા છે, તે નારકેને પરપરાવગાઢ કહે છે, ત્રીજો અને ચે ભેદ ક્ષેત્રની અપેક્ષાએ પાડવામાં આવ્યો છે. અનઃરાહારક-જે નારકે જીવપ્રદેશથી આક્રાન્ત અથવા જીવપ્રદેશની સાથે સ્પષ્ટ એવાં અવ્યવહિત પુદ્ગલેને આહાર કરે છે તે નારકેને અનન્તરાહારક કહે છે. અથવા જે નારકે પ્રથમ સમયમાં પુદ્ગલેને આહાર કરે છે, તે નારકોને અનન્તરાહારક કહે છે. પરમ્પરાહારક-પૂર્વ વ્યવહિત થયેલાં જીવપ્રદેશાગત પુગલોને જે નારકે આહાર કરે છે તે નારકાને પરમ્પરાહારક કહે છે. અથવા બે આદિ સમયના વ્યવધાન બાદ બે આદિ સમય વ્યતીત થઈ ગયા બાદ-જીવપ્રદેશાગત પુદગલેને જે નારક આહાર કરે છે, તે નારકેને પરમ્પરાહારક કહે છે. આ બન્ને ભેદે દ્રવ્યકૃત ભેદ છે. અનન્તર પર્યાપ્ત જે નારકેને પર્યાપ્ત થવામાં કોઈ પણ વ્યવધાન ( સમયનું અંતર) પડતું નથી એવા પ્રથમ સમયમાં પર્યાપ્ત બનેલા નારક છને અનન્તર પર્યાપ્ત કહે છે. પરપરપર્યાપ્ત-જે નારકે બે આદિ સમય વ્યતીત થયા બાદ પર્યાપ્ત થાય છે તેમને પરસ્પર કહે છે. આ બન્ને ભેદ ભાવકૃત છે. શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫ २४७

Loading...

Page Navigation
1 ... 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300