Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 263
________________ દશાના ઉપમા, સંખ્યા આદિ દસ અધ્યયન છે. હાલમાં તે અધ્યયને વિચ્છિન્ન થઈ ગયેલા હોવાથી અપ્રાપ્ય છે. પરંતુ પ્રચલિત પ્રશ્નવ્યાકરણદશામાં પાંચ આસ્રવ દ્વાર અધ્યયને અને પાંચ સંવર દ્વારા અધ્યયને ઉપલબ્ધ છે. બધદશાના બન્ધ, મોક્ષ આદિ દસ અધ્યયને છે. આ અધ્યયને વિચ્છિન્ન થઈ ગયા હેવાથી “બન્ધદશા” આ નામ સિવાયનું તેમાં પ્રતિપાદિત કોઈ પણ સાહિત્ય ઉપલબ્ધ નથી. વાત, વિવાત આદિ દસ અધ્યયનેયુકત દ્વિગુદ્ધિદશા નામનું સૂત્ર પણ વિચ્છિન્ન થઈ ગયું છે અને તેનું નામ માત્ર જ રહી ગયું છે. ચન્દ્ર, સૂર્ય, શુક આદિ દસ અધ્યયનેથી યુકત દીર્ઘદશા નામનું સૂત્ર પણ વિચિછન્ન થઈ ગયું છે; પરંતુ તેના કેટલાક અધ્યયને નિરયાવલિકા સૂત્રમાં જોવા મળે છે. જેમ કે-ચન્દ્ર, સૂર્ય, શુક, બહુપુત્રિકા, આ ૨.૨ અધ્યયન પુષ્પિતા નામના ત્રીજા વર્ગમાં જોવા મળે છે, આઅને શ્રીદેવી નામનું અધ્યયન પુ૫ચૂલિકા નામના ચોથા વર્ગમાં જોવા મળે છે, પરંતુ બાકીના અધ્યયને અપ્રાપ્ય છે. શ્રુદ્રિકા વિમાનપ્રવિભક્તિ મહતી વિમાન પ્રવિભક્તિ, ઈત્યાદિ દસ અધ્ય યનોથી યુક્ત સંપિકદશા નામનું સૂત્ર પણ વિછિન્ન થઈ ગયેલું હોવાથી અપ્રાપ્ય ગણાય છે. આ સૂ. ૬૧ છે આગલા સૂત્રમાં મૃતની વાત કરી. શ્રતને કળવિશેષમાં જ સદ્દભાવ હોય છે. તેથી હવે સૂત્રકાર કાળવિશેષનું કથન કરે છે. “ સારા રો” ઈત્યાદિ–(ફૂ ૬૨) ટીકાથ-ઉત્સર્પિણીકાળનું દસ સાગરેપમોટીકેટીનું પ્રમાણ કહ્યું છે. એટલું જ પ્રમાણ અવસર્પિણીકાળનું પણ સમજવું કે સૂ. ૬૨ નારકાદિ જુવકે દ્રવ્યભેદકા નિરૂપણ ઉપધિને આધારે જેમ કાળદ્રવ્યના ભેદ પડે છે, એ જ પ્રમાણે ઉપધિને આધારે નારકાદિ જીવન પણ ભેદ પડે છે. એજ વાત હવે સૂત્રકાર પ્રકટ કરે છે “વિઠ્ઠ વૈકુચા પત્તા”-(સૂ૬૩) ટીકાર્થ–નારક જીવના નીચે પ્રમાણે દસ પ્રકાર કહ્યા છે– (૧) અનન્તરો૫૫ન, (૨) પરમ્પરોપપન, (૩) અનન્તરાવગાઢ, (૪) પરસ્પરાવગઢ, (૫) અનન્તરા હારક, (૬) પરમ્પરાહારક, (૭) અનન્તરપર્યાપ્ત, (૮) પરસ્પર પર્યાપ્ત, (૯) ચરમ અને (૧૦) અચરમ, જે નારકે સોજાત-આ સમયે જ નારક રૂપે ઉત્પન્ન થયેલા છે તેમને અનન્તરપપન્ન નારકે કહે છે અન્તર એટલે સમયનું વ્યવધાન જેને લાગુ પડયું હોતું નથી તેને અનન્તર કહે છે. એવું અનન્તર વર્તમાન સમયરૂપ હોય છે. તેથી આ વર્તમાન સમયમાં જ જેઓ ઉત્પન્ન થાય છે તેમને અનન્ત૫૫ન શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૫ २४६

Loading...

Page Navigation
1 ... 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300