Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
શાશ્વતાશાશ્વત દ્રવ્યાનુયાગ—આદિ અન્ત રહિત હાવાથી જીવદ્રવ્યાશાશ્વત છે અને અન્ય પર્યાયરૂપે પરિણત થતુ રહેતું હાવાને કારણે એજ જીવદ્રવ્ય અશાશ્વત છે. આ પ્રકારે એક જીવદ્રવ્ય સંબધી શાશ્વતાશાશ્વત દ્રવ્યાનુયાગ છે.
તથાજ્ઞાનરૂપ દ્રવ્યાનુયાગ આ પ્રકારને છે-વસ્તુ જેવી હાય એવું જ તેનું જ્ઞાન જે વિચારણામાં થાય છે, તે વિચારણાને તથાજ્ઞાનરૂપ દ્રવ્યાનુયાગ કહે છે. જેમ કે સમ્યગ્દૃષ્ટિ જીવને તેના જ્ઞાન વડે જીવદ્ર જેવુ' હાય છે એવુ' જ દેખાય છે, કારણ કે તેનું જ જ્ઞાન અવિતથ હેાય છે. તે તેની જ વિચારણા વડે જીવદ્રવ્યને યચા રૂપે જાણે છે તે જીવદ્રવ્યને યથાર્થ રૂપે જાણે છે તે વિચારણારૂપ તેના જ્ઞાનને તથાજ્ઞાનરૂપ દ્રવ્યાનુયાગ કહે છે. અથવા જેવી વસ્તુ હાય એવું જ યથાર્થ તેનુ રૂપ જે વિચાર દ્વારા સમજાય છે, તે પ્રકારની વિચારણાને તથા જ્ઞાનરૂપ દ્રવ્યાનુયાગ કહે છે. જેમ કે ઘટતુ ઘટરૂપે જે જ્ઞાન થાય છે તેનું નામ તથાજ્ઞાન છે, કારણ કે ઘટજ્ઞાનને ઘટરૂપે જ પ્રતિભાસ થાય છે. અથવા દ્રવ્ય-પરિણામી છે એવુ' જે જ્ઞાન છે તેને તથા જ્ઞાન કહે છે, કારણ કે દ્રવ્યના પિરણામી રૂપે જ પ્રતિભાસ થાય છે. આ પ્રકારના આ તથાજ્ઞાન રૂપ દ્રવ્યાનુયાગ છે.
અતથાજ્ઞાન-જે વસ્તુ જેવી નથી એવી જે વિચાર દ્વારા પ્રતિભાસિત થાય છે એવા વિચારને અતથાજ્ઞાન કહે છે. જેમ કે મિથ્યાદૃષ્ટિ જીવનું દ્રવ્યવિષયક જે જ્ઞાન હાય છે તે અતથાજ્ઞાન જ હેાય છે, કારણ કે મિથ્યાદષ્ટિ જીવનું જ્ઞાન વિપરીત હોય છે. અથવા જે વસ્તુનું જેવુ' યથાર્થ સ્વરૂપ હાય તેવા સ્વરૂપ કરતાં વિપરીત ( અયથાર્થ) સ્વરૂપ હાવાની પ્રતીતિ થવી તેનું નામ અતથાજ્ઞાન છે. જેમ કે-અલાતદ્રવ્ય ગેાળ હેતુ નથી, પરન્તુ તેને ચક્કર ચક્કર ફેરવવામાં આવે તા તે ગાળ લાગે છે, અને તે પ્રકારે તે જેવુ' છે તેવુ દેખાતુ નથી અથવા એકાન્તવાદીઓ દ્વારા વિપરીતરૂપે સ્વીકારવામાં આવતી જે વસ્તુએ છે તેમને પણ અતથાજ્ઞાન કહે છે, કારણ કે એકાન્તવાદીએ દ્વારા તેમને એકાન્ત (સ`પૂર્ણ) રૂપે નિત્ય અથવા અનિત્ય માનવામાં આવેલ છે, પરન્તુ તે પરિણામીરૂપે પ્રતિ ભાષિત થાય છે. આ પ્રકારના અતથાજ્ઞાનરૂપ દ્રવ્યાનુયોગ હોય છે. ા સૂત્રર૮
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૧૬ ૭