Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
મિથ્યાત્વકા નિરૂપણ
“કવિ મિત્તે gum” ઈત્યાદિ–(ફૂ. ૩૮ ટીકાર્થ–વિપરીત જ્ઞાનને મિથ્યાત્વ કહે છે. તે મિથ્યાત્વના નીચે પ્રમાણે ૧૦ પ્રકાર કહ્યા છે–
(૧) ગર્ભે ધર્મસંજ્ઞા”-પ્રાણાતિપાત આદિ અધર્મને જ ધર્મરૂપ માન તે મિથ્યાત્વને પહેલે ભેદ છે. (૨) “ગવર્મ સંજ્ઞા” પ્રાણાતિપાત વિરમણ આદિરૂપ ધર્મમાં–આ પ્રકારને આપવચન પ્રત્યે શ્રદ્ધા રાખવાને બદલે તેના કરતાં વિપરીત બાબતમાં શ્રદ્ધા રાખવી, આ મિથ્યાત્વને બીજો ભેદ છે. આ પ્રકારને વિચાર કરનારની બુદ્ધિને વિપરીત કહેવાનું કારણ એ છે કે તે ભગવાનને અનાસરૂપે માને છે. આ પ્રકારની માન્યતાવાળા લેકે એવું કહે છે કે જેટલા પુરુષે છે તે બધાં રાગાદિથી યુક્ત હોય છે અને અસર્વજ્ઞ હેય છે, કારણ કે તેઓ પણ આપણી જ જેમ પુરુષે જ છે. આ પ્રકારની માન્યતા
સ્વીકારવામાં આવે તે પુરુષરૂપ તીર્થકરોને પણ રાગાદિથી યુક્ત અને અસવંશ માનવાને પ્રસંગે ઉપસ્થિત થશે. તેથી આ પ્રકારના લકે દ્વારા ઉપદિષ્ટ શાસ્ત્રમાં ધર્મતને સદ્ભાવ હેતું નથી. આ પ્રકારના કુતર્કથી પ્રેરાઈને જે લોકો તીર્થકરેક્ત આગમમાં પણ અધર્મરૂપતા હોવાની શ્રદ્ધા રાખે છે એવા લેકેને આ બીજા પ્રકારના મિથ્યાત્વના ઉપાસકે કહી શકાય છે.
(૩) યથાર્થતત્વ પ્રત્યે શ્રદ્ધા રાખવાને બદલે તેના કરતાં વિરૂદ્ધ અર્થ પ્રત્યે શ્રદ્ધા રાખનારી અને વિરૂદ્ધ જ્ઞાન વડે આચરિત થતા, એક્ષપુરી, પ્રત્યે નહી લઈ જનાર હોવાને કારણે અમાર્ગરૂપ એવા ઉન્માર્ગને કુસંસ્કારને કારણે માગરૂપ માનનારી જે બુદ્ધિ છે તેને મિથ્યાત્વના ત્રીજા ભેદ રૂપ કહી શકાય.
(૪) એક્ષપુરીને પ્રાપ્ત કરાવનારા વાસ્તવિક માર્ગરૂપ રત્નત્રયમાં જે અમા ની માન્યતા છે, તે મિથ્યાત્વના ચોથા ભેદરૂપ છે.
(૫) અજીમાં–આકાશ, પરમાણુ આદિકોમાં–જે જીવ માન્યતા છે તેને મિથ્યાત્વના પાંચમાં ભેદ રૂપ સમજવી.
(૬) જીવને અજીવ માનવા, તે મિથ્યાત્વનો છઠ ભેદ છે. કેટલાક લેકે પૃથ્વી આદિ જેને અછવરૂપ માને છે તેઓ એવી દલીલ કરે છે કે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૧૮૬