Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
નવ પ્રકારને સદ્ભાવ પદાર્થના નિરૂપણ
અભિનન્દ અને સુમતિ જિનેન્દ્ર જે સદભૂત (તત્વરૂપ) પદાર્થો પ્રરૂપિત કર્યા છે તે નવ છે. એજ વાત સૂત્રકાર નીચેના સૂત્ર દ્વારા પ્રકટ કરે છે
“ના ભાવ ઘચા ઘomત્તા” ઈત્યાદિટીકાર્થ–સદ્ધાવ રૂપ જે નવ પદાર્થો કહ્યા છે તે નીચે પ્રમાણે છે-(૧) જીવ, (૨) અજીવ, (૩) પુણ્ય, (૪) પાપ, (૫) આવ, (૬) સંવર, (૭) નિજેરા, (૮) બન્ધ અને (૯) મોક્ષ.
" તરવભૂત પદાર્થોનું નામ સદ્ભાવ પદાર્થો છે. ઉપર મુજબ નવ સદ્ભાવ પદા ઘું છે. તેમનું વિવરણ પ્રથમ સ્થાનમાં કરવામાં આવ્યું છે. એ સૂત્ર ૬ છે
નવ પ્રકારને સંસારી જીકે ગતિઆગતિ આદિકા નિરૂપણ
ઉપકત નવ સદ્ભાવ પદાર્થોમાં સૌથી પહેલે પદાર્થ જીવ છે. તેથી હવે સરકાર તેના ભેદનું, ગતિ આગતિનું, અવગાહનાનું, સંસાર નિર્વતનનું અને રોગોત્પત્તિના નિમિત્તાનું પ્રતિપાદન કરવા માટે “નવ વિહા સંતાન તપન્ન નવા HTT” ઈત્યાદિ સૂત્રનું કથન કરે છે
“ઘર વિહા સંસારસાવત્ર નીવા પત્તા” ઇત્યાદિ– ટીકાર્થ–સંસારી જીના નીચે પ્રમાણે નવ પ્રકારે કહ્યા છે
પૃથ્વીકાવિકથી લઈને વનસ્પતિકાયિક પતના પાંચ પ્રકારો તથા (૬) દ્વીન્દ્રિય (૭) ત્રીન્દ્રિય, (૮) ચતુરિન્દ્રિય અને (૯) પંચેન્દ્રિય. ૧
પૃથ્વીકાયિક જીવે નવ ગતિવાળા અને નવ આગતિવાળા કહ્યા છે જેમ કે પૃથ્વીકાયિક જીવ રૂપે ઉત્પન્ન થતે જીવ પૃથ્વીકાયિકથી લઈને પંચેન્દ્રિય પર્ય તના જીવોમાંથી આવીને પૃથ્વીકાય જીવ રૂપે ઉત્પન્ન થઈ જાય છે. વળી એજ પૃથ્વીકાયિક જીવ જ્યારે પ્રથવીકાયિક પર્યાય છેડી દે છે, ત્યારે પૃથ્વીકાયિકથી લઈને પંચેન્દ્રિય પર્યન્તની કોઈ પણ પર્યાયમાં ઉત્પન્ન થઈ શકે છે. રિા
એજ પ્રકારનું કથન અપ્રકાયિકથી લઈને ૫ ચેન્દ્રિય પર્યન્તના જીવોની ગતિ અને આગતિ વિષે પણ સમજવું. ૧૦
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૮ ૭