Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સમસ્ત જીવેાના નીચે પ્રમાણે નવ પ્રકાર પડે છે
(૧) એકેન્દ્રિય, (૨) દ્વીન્દ્રિય, (૩) તેઇન્દ્રિય, (૪) ચૌઇન્દ્રિય, (૫) નૈરયિક, (૯) પંચેન્દ્રિય તિયગ્યેાનિક, (૭) મનુષ્ય, (૮) દેવ અને (૯) સિદ્ધ, (૧૧)
અથવા-સમસ્ત જીવેાના આ પ્રમાણે નવ પ્રકાર પણ કહ્યા છે-(૧) પ્રથમ સમય નૈરયિક, (૨) અપ્રથમ સમય નૈરયિક, ઈત્યાદિ (૮) અપ્રથમ સમય દેવ અને (૯) સિદ્ધ. ।૧૨।
સમસ્ત સ'સારી જીવેાની અવગાહના નવ પ્રકારની કહી છે-(૧) પૃથ્વીકાયિક અવગાહના (૨ થી ૫) અષ્ઠાયિક અવગાહનાથી લઈને વનસ્પતિકાયિક અવગાહના પન્તની ચાર અવગાહના (૬) દ્વીન્દ્રિય અવગાહના, (૭) ત્રીન્દ્રિય અવગાહના, (૮) ચતુરિન્દ્રિય અવગાહના, (૯) પ'ચેન્દ્રિય અવગાહના. ૫૧૩૬
પાંચ સ્થાવર અને ચાર ત્રસ આ નવ સ્થાનામાં જીવે ભૂતકાળમાં રહ્યા છે, વમાનમાં રહે છે અને ભવિષ્યમાં પણ રહેશે. તે નવ સ્થાન નીચે પ્રમણેછે (૧) તેએ પૃથ્વીકાયિક રૂપ સ્થાનમાં રહ્યા હતા, રહે છે અને રહેશે, (રથી૯) એજ પ્રમાણે તેઓ અસૂકાયિકથી લઇને પ ંચેન્દ્રિય પર્યંતના આઠસ્થાનેમાં પણ ભૂતકાળમાંરહ્યા હતા, વમાનમાં રહે છે અને ભવિષ્યમાં રહેશે ૧૪
ટીકા-આા સૂત્રની વ્યાખ્યા સરળ છે. પહેલા સૂત્રમાં પૃથ્વીકાયિક પન્તના જીવા ગણાવતી વખતે જે ‘પન્ત’ પદ વાપર્યું છે તેના દ્વારા અાયિક, તેજસ્કાયિક અને વાયુકાયિક' આ ત્રણે પર્દે ગ્રહણ કરવામાં આવ્યાં છે.
બીજા સૂત્રનું વિવેચન–પૃથ્વીકાયિકને લઇને પંચેન્દ્રિય પન્તના નવે પ્રકા રના જીવે નવ ગતિક અને નવ આગતિક હોય છે. એટલે કે પૃથ્વીકાયિકામાં ઉત્પન્ન થતા કાઈક જીવ પૃથ્વીકાયિકામાંથી આવીને ત્યાં તે રૂપે ઉત્ત્પન્ન થઈ જાય છે, અષ્ઠાયિકામાંથી આવીને ત્યાં પૃથ્વીકાયિક રૂપે ઉન્ન થઇ જાય છે તેજસ્કાયિકામાંથી આવીને ત્યાં પૃથ્વીકાયિક રૂપે ઉત્પન્ન થઈ જાય છે, વાયુકાયિકામાંથી આવીને ત્યાં પૃથ્વીકાયરૂપે ઉત્પન્ન થઈ જાય છે. વનસ્પ તિકાયિકામાંથી આવીને ત્યાં પૃથ્વીકાયિક રૂપે ઉત્પન્ન થઈ જાય છે. દ્વીન્દ્રિચેમાંથી આવીને ત્યાં પૃથ્વીકાયિક રૂપે ઉત્પન્ન થઇ જાય છે, ત્રીન્દ્રિયામાંથી આવીને ત્યાં પૃથ્વીકાયિક રૂપે ઉત્પન્ન થઇ જાય છે, ચતુરિન્દ્રિમાંથી આવીને ત્યાં પૃથ્વીકાયિક રૂપે ઉત્પન્ન થઇ જાય છે, અને એજ પ્રમાણે પોંચેન્દ્રિયામાંથી આવીને પણ કાઇક જીવ પૃથ્વીકાયિકામાં ઉત્પન્ન થઇ જાય છે.
એજ પ્રમાણે કાઇ પૃથ્વીકાયિક જીવ મરીને પૃથ્વીકાયિક રૂપે પણ ઉત્પન્ન થાય છે, અપ્રકાયિક રૂપે પણ ઉત્પન્ન થાય છે, તેજસ્કાયિક રૂપે પણ ઉત્પન્ન થાય છે, વાયુકાયિક રૂપે પણ ઉત્પન્ન થાય છે, વનસ્પતિકાયિક પણ રૂપે ઉત્પન્ન થાય છે, દ્વીન્દ્રિય રૂપે પણ ઉત્પન્ન થાય છે, ત્રીન્દ્રિય રૂપે પણ ઉત્પન્ન થાય છે, ચતુ સિન્દ્રય રૂપે પણ ઉત્પન્ન થાયુ છે, અને પચેન્દ્રિયરૂપે પણ ઉત્પન્ન થાય
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૮૮