________________
( ૧૩૬ )
પૌષધ વિધિ
૪ પાસહશાળાની ભૂમિ તથા લઘુનીતિ અને વીનીતિ પરઠવવાની જગ્યા સારી રીતે પ્રમાજે નહિં, પ્રમાજે તેા જેમ તેમ પ્રમા; તે ચાથા અતિચાર.
૫ પાસડુની ક્રિયા વિધિપૂર્વક સપૂર્ણ ન કરે, પારણાની ચિંતા કરે, ઘેર જઈને કરવાનાં સાવદ્ય કાર્યનું ચિંતવન કરે; અને પ્રથમ જણાવેલ ૧૮ દોષ ટાળે નહીં તે પાંચમા અતિચાર. આ પાંચ અતિચાર ટાળવા.
સામાયિકના ૩૨ દોષ, જીઆ પૃષ્ઠ પર-૫૩ સામાયિક( વ્રત )ના પાંચ અતિચાર.
૧ કાય દુપ્રણિધાન અતિચાર—પેાતાના શરીરના હાથ પગ પ્રમુખ અવયવાને અણુપુજે અણુપ્રમા૨ે હલાવે ચલાવે, ભીંતને પીઠ લગાડી બેસે અને નિદ્રા પ્રમુખ કરે તે.
૨ વચન દુણિધાન અતિચાર—સામાયિકમાં સાવદ્ય વચન મેલે, અથવા પદ, અક્ષરાદિ અશુદ્ધ ખેલે, સૂત્રની સ્પષ્ટતા માલૂમ ન પડે તેમ સૂત્ર ઉચ્ચાર કરે, અર્થની ખબર ન પડે તેમ અતિ ચપલપણાએ ગરબડથી કહી જાય તે.
૩ મન દુપ્રણિધાન અતિચાર—સામાયિકમાં કુખ્યાપારનું ચિંતન કરે, ક્રોધ, લેાભ, દ્રોહ, અભિમાન, ઇર્ષ્યા અને અસૂયા વિગેરે દોષ સહિત સામાયિક કરે, બીજા કામકાજની આસક્તિ રાખી વ્યગ્ર અને સભ્રમ ચિત્ત સામાયિક કરે તે.
૪ અનવસ્થા દેષ અતિચાર—સામાયિક જે વખતે _કરવુ જોઈએ તે વખતે કરે નહિં, જેમ તેમ કરે, હઠથી પારે, ઉતાવળથી પારે, આદર વિના કરે, સ્વેચ્છાએ કરે તે.