Book Title: Updhan Vidhi Tatha Posah Vidhi
Author(s): Kanchanvijay
Publisher: Pramodrai Jagjivandas Gundigara

View full book text
Previous | Next

Page 240
________________ ગણિવર્યનું ટુંક જીવન ચરિત્ર બહેન સતક તથા બહેન દીવાળીએ સંવત્ ૨૦૦૧ ના મહા માસમાં ભાવનગરથી શ્રી સિદ્ધાચલજીને છરી પાળા સંઘ કાઢ્યો, સંઘ સાથે પંન્યાસજી મહારાજે પણ પોતાના શિષ્યપરિવાર સાથે ભાવનગરથી વિહાર કર્યો. પાલીતાણું આવતાં સંઘનું શાનદાર સામૈયું થયું. તીર્થાધિરાજ શ્રી શત્રુંજય ઉપર મહા વદિ ૩ ના રોજ પંન્યાસજી મહારાજના શુભહસ્તે બહેન સંતક તથા બહેન દીવાળીએ તીર્થમાળા પહેરી, અને બને સંઘવી બહેનેએ પાલીતાણામાં જુદા જુદા ખાતાઓમાં સારી રકમ આપી લક્ષ્મીને સદ્વ્યય કર્યો. ત્યારબાદ પંન્યાસજી મહારાજે પિતાના શિષ્ય-પરિવાર સાથે પાલીતાણાથી વિહાર કર્યો. અને તાલધ્વજ તીર્થની યાત્રા કરી કેળીયાક થઈ ઘોઘા આવ્યા. ત્યાં શ્રી નવખંડા પાર્શ્વનાથસ્વામીના પ્રભાવક પ્રતિમાજીનાં દર્શન-વંદન કરી હર્ષોલ્લાસ પામ્યા. | ખ્યાવર નિવાસી શેઠ ઉદયમલજીના ધર્મપત્ની ઉદયાબહેનની, પંન્યાસજી મહારાજની અધ્યક્ષતામાં ખ્યાવરમાં ઉપધાન, કરાવવાની ભાવના હતી. જેથી “પંન્યાસજી, શ્રી કંચવિજયજી મહારાજ ઘેઘા પધાર્યા છે. એવા સમાચાર મળતાં તેઓ ઘોઘા આવ્યા. તેમની સાથે શેઠ કલ્યાણચંદજી - મુહત્તા વિગેરે ૨૫ શ્રાવક-શ્રાવિકાઓ આવ્યા હતા. તેમણે ઉપધાને કરાવવા માટે ખ્યાવર પધારવા આગ્રહભરી વિનંતિ કરી. આજ્ઞા શીલ પંન્યાસજી મહારાજે કાજુ કે,. ગુરાદેવની આજ્ઞા મળ્યાબળ અમારી પ્રમાણમાં આવવાની હલ કરી સ્કિાએ આ પ્રમાણે પંન્યાસજી મહારાજના: કી તે ગુરુવાહાજ આચાર્ય દેવેશ શ્રી વિજયભક્તિ ધરજી મહારાજ પાસે

Loading...

Page Navigation
1 ... 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252