Book Title: Updhan Vidhi Tatha Posah Vidhi
Author(s): Kanchanvijay
Publisher: Pramodrai Jagjivandas Gundigara

View full book text
Previous | Next

Page 234
________________ ગણિવર્યનું ટુંક જીવન ચરિત્ર (પપ) સંઘમાં મુનિ મહારાજે તથા સાધ્વીજી મહારાજના ૬૦ ઠાણા હતા, શ્રાવકભાઈઓ અને શ્રાવિકાબહેને વિગેરે અઢી હજાર માણસ હતા, વળી ચાર મોટર, અઢીસે ગાડાં તથા તંબુ વિગેરે પુષ્કળ સાધન-સામગ્રી હતી. સંઘે પહેલે દિવસે શીલધરથી એકગાઉ દૂર પડાવ નાખ્યો, એ દિવસે સંઘવી તરફથી નવકારશી થઈ, તથા આખા ગામમાં ધૂમાડો બંધ કરાવી અઢારે નાતના માણસોને મિષ્ટાન્ન ભોજન કરાવ્યું. સંઘ શીલધરથી દાતરાય આવતાં ત્યાંના સંઘમાં અતિશય કુસંપ હતો તે પંન્યાસજી મહારાજે સદુપદેશ આપી દૂર કરાવ્યું. વળી કેટલાક શ્રાવકભાઈઓ પાસે દેવદ્રવ્યની મોટી રકમ લેણી ખેંચાતી હતી, તે સદુપદેશ આપી પતાવીને ચોપડા ખા કરાવ્યા. દાંતરાયથી સંઘ શ્રી જીરાવલા પાશ્વનાથ તીથી આવતાં ત્યાંના સંઘ તરફથી ઠાઠમાઠથી સામૈયું થયું. અહીં સંઘને પડાવ ત્રણ દિવસ રહ્યો. સંઘ ત્યાંથી મઢાર આવ્યો, ત્યાં સંઘવી તરફથી ત્રણે દિવસ નવકારશી થઈ. મઢીથી ડીસાકાંપ આવતાં એક દિવસ ડીસાના સંઘ તરફથી અને એક દિવસ સંઘવી તરફથી એમ બે નવકારશી થઈ. ત્યાંથી જુના ડીસા થઈ ભીલડીયા પાશ્વનાથસ્વામીની યાત્રા કરી ચારૂપ તીથ આવતાં ત્યાં સંઘને પડાવ બે દિવસ રહ્યો. ચારૂપથી સંઘ પાટણ આવ્યું અને ત્યાં ત્રણ દિવસ રોકાયો. પાટણના વિવેકી સંઘે બે દિવસમાં નવકારશી કરી, અને એક દિવસ શીલપરના સંઘવી તરફથી” નવકારશી થઈ. પાટણથી હારીજ આવતાં ત્યાં સંઘવી તરફથી બે દિવસ નવકારશી થઈ. હારીજથી સંઘ શ્રી શખેશ્વરજી તીર્થ આવે, અને શ્રી શંખેશ્વર પાકનાથસ્વામીનાં દર્શનપૂજન કરી પરમ આહલાદ પામ્યો. અહીં સંઘવીના મુનીમ

Loading...

Page Navigation
1 ... 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252