Book Title: Updhan Vidhi Tatha Posah Vidhi
Author(s): Kanchanvijay
Publisher: Pramodrai Jagjivandas Gundigara

View full book text
Previous | Next

Page 233
________________ પન્યાસજી મહારાજ શ્રી કંચનવિજયજી - પંન્યાસજી મહારાજ નેવીમાં દસેક દિવસ રોકાયા. તેઓશ્રીના સદુપદેશથી નેવીના પંચ તરફથી પાવઠાને છરી પાળતો સંઘ નીકળે; પંન્યાસજી મહારાજ પણ સંઘ સાથે નવીથી વિહાર કરી પાવઠા પધાર્યા. પાવઠાથી તખતગઢ આવી ત્યાં ત્રણ દિવસ રોકાયા. ત્યાંથી વિહાર કરી ઉમેદપુર તથા ગુડા–બાલોતરા થઈ, આહાર આવી ત્યાં ચાર દિવસ રોકાયા. ત્યાંથી વિહાર કરી વાગરા આવ્યા, ત્યાં ત્રણ દિવસ રોકાયા. ત્યાંથી વિહાર કરી કાલંદ્રી તથા મેટાગામ થઈ પૂનાગ આવ્યા. અહીંના સંઘમાં કેટલાક વખતથી ચાલ્યા આવતા કુસંપને પંન્યાસજી મહારાજે સદુપદેશ આપી દૂર કરાવ્યું, જેથી સંઘમાં આનંદ ફેલાયે. ઉલ્લસિત થયેલા સંઘે અઠ્ઠઈ-મહોત્સવ કર્યો, અને છેલ્લે દિવસે નવકારશી કરી, જેમાં ઘણું વખતથી અલગ રહેતા શ્રાવક-શ્રાવિકાઓ ભેગા બેસીને જમ્યા. ત્યારબાદ પંન્યાસજી મહારાજ પૂનગથી વિહાર કરી શીલધર પધાર્યા. છે પંચાસજી શ્રી કંચનવિજ્યજી મહારાજના સદુ- 4 પદેશથી શીલધથી શ્રી સિદ્ધાચલજીને નીકળેલ છરી પાળતો સંઘ, પન્નાસજી મહારાજ શીલધર પધાર્યા બાદ તેઓશ્રીના સદુપદેશથી શેઠ પૂનાજી રામાજી, ખેમાજી રામાજી, તથા કેશાજી રામાજીએ ફાગણ માસમાં શીલધરથી શ્રી સિદ્ધાચલજીને છરી પાળતે સંઘ કાઢ. સંઘ સાથે પોતાના શિષ્ય-પરિવાર સાથે પંન્યાસજી શ્રી કંચનવિજયજી મહારાજે પણ વિહાર કર્યો,

Loading...

Page Navigation
1 ... 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252