________________
પંન્યાસજી મહારાજ શ્રી કંચનવિજ્યજી
પંન્યાસ શ્રી કંચનવિજ્યજી મહારાજ પિતાના શિષ્યપરિવાર સાથે લીલાપુરથી વિહાર કરી વિરમગામ થઈ ભાયણજી તીર્થની યાત્રા કરી તારંગા તીર્થ પધાર્યા. ત્યાં ચિત્રી ઓળી કરી, તથા ચિત્રી પુનમના દેવ વંદાવ્યા. તારંગાજીથી વિહાર કરી ગંઢજીલામાં આવેલા ગામ ભાલોસણા થઈ આબુ પધાર્યા. ત્યાં આઠેક દિવસની સ્થિરતા કરી ત્યાંથી વિહાર કરી વેલગડી થઈ ગામ પાડીવ ગયા. ત્યાં આઠેક દિવસ સ્થિરતા કરી ત્યાંથી વિચરતા વિચરતા જાવાલ પધાર્યા અને જાવાલના શ્રી સંઘની આગ્રહભરી વિનતિથી સંવત ૧૯૬ નું ચતુર્માસ જાવાલમાં કર્યું.
કેટલાક વખતથી જાવાલના સંઘમાં કુસંપ ચાલતા હતા. ધીરે ધીરે એ કારમા કુસંપનું જોર એટલું બધું વધી ગયું કે ત્યાંના સંઘમાં પાંચ તડ પડી ગયા ! આને લીધે વ્યવહારિક કાર્યો ઉપરાંત ધાર્મિક કાર્યો પણ અટકી ગયા; જેથી દેરાસરજી ઉપર કેટલાક વરસથી વજદંડ ચડાવાયો નહોતે, પ્રભાવના સુદ્ધાં બંધ હતી. શ્રીસંઘમાં આવું કલેશમય વાતાવરણ જોઈ પંન્યાસજી શ્રી કંચનવિજયજી મહારાજને ખેદ થયા. તેઓશ્રીએ સંઘમાં સંપ કરાવવા અવિચ્છિન્નપણે એક મહિને પ્રયાસ કર્યો અને સચોટ સદુપદેશ આપી પાંચે તડને ભેગા કર્યા, જેથી સંઘમાં કલેશને ઠેકાણે શાંતિમય વાતાવરણ જામ્યું. હર્ષાન્વિત અને ઉત્સાહિત થયેલા જાવાલના શ્રી સંઘને પંન્યાસજી મહા'રાજે ધ્વજદંડ ચડાવવા માટે સદુપદેશ આપતાં એ માટે એક ગુપ્ત ભંડાર રાખવામાં આવ્યો. તેમાં વિજદંડ ચડાવવામાં વિધિ-વિધાન વિગેરે માટે રૂપિયા ૧૧૫૦) એકઠા થયા..