________________
ગણિવર્યનું ટુંક જીવન ચરિત્ર દિકર:::: @
ધ્વજદંડ ચડાવતાં થયેલા દિવ્ય કેસરનાં છાંટણાં.
જાવાલના દેરાસરજી ઉપર અશાડ શુદિ ૬ ના રોજ શુભ ચેઘડીયે ધામધૂમથી વિધિપૂર્વક દેવજદંડ ચડાવવામાં આવ્યો, તે શુભ નિમિત્તે શાંતિસ્નાત્ર ભણાવ્યું, તથા નવકારશી થઈ જેમાં પાંચે તડ ભેગા બેસીને જમ્યા. એ દિવસે દેરાસરજી ઉપર તથા ગામમાં દિવ્ય કેસરનાં છાંટણું થયાં; જેથી લેકમાં આશ્ચર્ય ફેલાયું, અને જૈન શાસનની પ્રભાવના થઈ. દવજદંડના ચડાવા વિગેરેમાં દેવદ્રવ્યની ઉપજ ઘણું સારી થઈ. વજદંડના શુભ પ્રસંગે આવેલા ભેજકે તથા બ્રાહ્મણે વિગેરેને રૂપીયા ૫૦૦) દક્ષિણમાં આપ્યા. આ વખતે જવાલમાં સાધ્વીજીશ્રી મેઘશ્રીજી, ઈન્દ્રશ્રીજી, સુમંગલાશ્રીજી વિગેરે સાધ્વીજી મહારાજેના ચાર ઠાણું ચોમાસું રહ્યા હતા. પંચાસજી મહારાજે અશાડ શુદિ ૬ ના રોજ સાવજશ્રી સુમંગલાશ્રીજીને વડી દીક્ષા આપી તેમને સાધ્વીજી શ્રી ઈન્દ્રશ્રીજીના શિષ્યા કર્યા.
પંન્યાસજી શ્રી કંચનવિજયજી મહારાજા વ્યાખ્યાનમાં હમેશાં ઉત્તરાધ્યયન સૂત્ર તથા ભાવનાધિકારે યુગાદિ દેશના વાંચતા હતા, જેને લાભ જેનો ઉપરાંત જૈનેતરો પણ સારી સિંખ્યામાં લેતા હતા. પર્યુષણ પ્રસંગે મુનિરાજ શ્રી મહોદયવિજયજી, મુનિરાજ શ્રી મનોહરવિજયજી, તથા સાધ્વીજી શ્રી મેઘશ્રીજીએ મા ખમણુનાં પચ્ચખાણ લીધાં. આવી ઉગ્ર તપસ્યાની અનુમોદના કરતા શ્રદ્ધ: ભિન્ન ભિન્ન શ્રાવકશ્રાવિકાઓ તરફથી છપ્પન પૂજા નોંધાવવામાં આવી. હંમેશાં