Book Title: Updhan Vidhi Tatha Posah Vidhi
Author(s): Kanchanvijay
Publisher: Pramodrai Jagjivandas Gundigara

View full book text
Previous | Next

Page 205
________________ (૨૬). પંન્યાસજી મહારાજ શ્રી કંચનવિજયજી કાઢયે હતું, અને તે શ્રી શંખેશ્વરજી આવવાનું હોવાથી મુનિરાજ શ્રી કંચનવિજયજીએ ગુરુદેવ વિગેરે મુનિવર્યો સાથે સમીથી વિહાર કરી શ્રી શંખેશ્વરજી આવ્યા, અને સંઘ સાથે પંચાસર, દસાડા, માંડલ, ઝીંઝુવાડા થઈ ધ્રાંગધ્રા આવ્યા. ત્યાંથી કરછ તરફ પ્રયાણ કર્યું. કચ્છમાં નાના-મોટા શહેરે અને ગામમાં વિચરતા વિચરતા સંઘ સાથે શ્રી ભદ્રેશ્વરજી આવ્યા, અને શ્રી ભદ્રેશ્વરજી તીર્થની અપૂર્વ યાત્રા કરી અનહદ આત્મિક ઉલ્લાસ પામ્યા. સંઘ સાથે કચ્છની યાત્રા કરી વિહાર કરતા કરતા રાજકેટ, મોરબી, વાંકાનેર વિગેરે સ્થળે થઈ જુનાગઢ આવ્યા, અને શ્રી ગીરનારજીની યાત્રા કરી. આ વખતે મુનિરાજ શ્રી કંચનવિજયજીનાં સંસારી માતુશ્રી મેંઘીબહેન ગીરનારજીની યાત્રા કરવા તથા મુનિરાજેને વંદન કરવા જુનાગઢ આવ્યા. તેમણે પંન્યાસજી શ્રી ભક્તિવિજયજી મહારાજના સદુપદેશથી વૈશાખ શુદિ ૩ થી વરસીતપ શરૂ કર્યો. મુનિરાજ શ્રી કંચનવિજ્યજી ગુરુદેવની આજ્ઞાથી પિતાના શિષ્ય મુનિ શ્રી કલ્યાણવિજયજી તથા આણંદવિજયજી સાથે જુનાગઢથી વિહાર કરી વિરમગામ પધાર્યા, અને વીરમગામના સંઘની આગ્રહભરી વિનતિથી તેઓશ્રીએ સંવત ૧૯૮૩ નું ચતુમસ વીરમગામમાં કર્યું. પંન્યાસજી શ્રી ભક્તિવિજયજી મહારાજ પિતાના શિષ્ય-પરિવાર સાથે જુનાગઢથી વિહાર કરી વઢવાણકાપ પધાર્યા, અને ત્યાંના સંઘની આગ્રહભરી વિનતિથી તેઓશ્રી વઢવાણકાપમાં ચતુર્માસ રહ્યા. વીરમગામમાં મુનિરાજ શ્રી કંચનવિજયજીએ પંડિત પાસે નૈષધીય મહાકાવ્યના પાંચ સર્ગ કર્યા, અને આસો માસમાં એક ધાનની એની વિધિપૂર્વક કરી. વળી તેઓશ્રીના શિષ્ય મુનિ શ્રી આણંદવિજયજીએ પ.

Loading...

Page Navigation
1 ... 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252