Book Title: Updhan Vidhi Tatha Posah Vidhi
Author(s): Kanchanvijay
Publisher: Pramodrai Jagjivandas Gundigara

View full book text
Previous | Next

Page 220
________________ ગણિવર્યનું હુંક જીવન ચરિત્ર બહેન, વિરમગામવાળા સમરત રહેન, તથા પાટણવાળા શેઠ મોહનલાલ ઉત્તમચંદ તરફથી મેતી સુખીયાની ધર્મશાળામાં આ શુદિ ૧૦ ના રોજ ઉપધાન શરૂ કરાવવામાં આવ્યા, તેમાં સ્થાનિક ઉપરાંત બહાર ગામથી પણ આવીને સંખ્યાબંધ ભાઈ-બહેનોએ પ્રવેશ કર્યો. ઉપધાનની ક્રિયા ચાલતી હતી એ અરસામાં પંન્યાસજી શ્રી કંચનવિજયજી મહારાજે સુરતથી આવેલા નેમા વાણીયા ભાઈશ્રી ચુનીલાલને સંવત ૧૯૩ના કારતક વદિ ૨ ના રોજ પન્નાલાલની ધર્મશાળામાં ભાગવતી દીક્ષા આપી, તેમનું નામ મુનિશ્રી કૈલાસવિજયજી રાખ્યું, અને તેમને પોતાના શિષ્ય કર્યા, માગશર શુદિ ૨ ના રોજ પંન્યાસજી શ્રી કંચનવિજયજી મહારાજના શુભ હસ્તે તપસ્વીઓને ધામધૂમથી ઉપધાનની માળા પહેરાવવામાં આવી, વળી એ જ સમયે તેઓશ્રીએ મુનિરાજશ્રી ભદ્રંકરવિજયજી તથા મુનિરાજશ્રી કૈલાસવિજયજીને વડી દીક્ષા આપી. ત્યારબાદ પંન્યાસજી શ્રી કંચનવિજયજી મહારાજ પિતાના શિષ્ય–સમુદાય સાથે પાલીતાણાથી વિહાર કરી ભાવનગર આવ્યા. ત્યાં થોડા દિવસ સ્થિરતા કરી વિચરતા વિચરત અમદાવાદ પધાર્યા, અને શાહપુર-મંગલ પારેખના ખાંચાના ઉપાશ્રયે ઉતર્યા. અહીંના સંઘના અગ્રેસર શેઠ ડાહ્યાભાઈ સાંક્લચંદ વિગેરેની આગ્રહભરી વિનતિથી પન્યાસજી શ્રી કંચનવિજયજી મહારાજે સંવત ૧૯૩નું ચતુર્માસ અમદાવાદ-શાહપુર, મંગલ પારેખના ખાંચાના ઉપાશ્રયે કર્યું. ચોમાસા દરમ્યાન પંન્યાસજી મહારાજના સદુપદેશથી તપસ્યા, પૂજા, પ્રભાવના, અઠ્ઠાઈ–મહોત્સવ વિગેરે ધાર્મિક કાર્યો કીક

Loading...

Page Navigation
1 ... 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252