________________
પંન્યાસજી મહારાજ શ્રી કંચનવિજયજી
કમાં ઘરને ખર્ચ કરકસરથી નભતે હતે, આર્થિક સ્થિતિ નબળી હોવાથી હરજીવનદાસે વિચાર્યું કે “પરદેશ ખેડયા વગર આર્થિક સ્થિતિ સુધરવી મુશ્કેલ છે. તેમણે મીના મથક ગણાતા અમદાવાદ જવાને નિર્ણય કર્યો, અને સંવત્ ૧૯૬૦ ની સાલમાં પિતાનાં ધર્મપત્ની બાઈ રતન અને પુત્રી બેન હીરા સાથે અમદાવાદ તરફ રવાના થયા. તેમની સાથે મીલનું કામકાજ જાણનાર બીજા પંદર કારીગરે જવાને તૈયાર થયા હતા, ઉદાર દિલના ભાઈ શ્રી હરજીવનદાસ તેમને પણ સાથે તેડતા ગયા. નવયુવક અને મીલના કામમાં પ્રવીણ ભાઈ શ્રી હરજીવનદાસની અમદાવાદમાં મંગલદાસ ગીરધરલાલની મીલમાં માસિક રૂપિયા ૨૫૦, ના પગારે હેડ જેબર તરીકે નિમણુક થઈ, અને પિતાની સાથે આવેલા કામદારોને પણ એજ મીલમાં ગોઠવી દીધા.
અને કોમળ હૃદયના હરજીવનદાસ છે
આવી રીતે ભાઈ શ્રી હરજીવનદાસ પોતાની પ્રેમાળ અને વ્યવહારદક્ષ પત્ની બાઈ સ્તન સાથે અમદાવાદમાં સુખચેનથી રહેતા હતા. દેશમાંથી કરી શેલતા કેઈ ઓળખીતા માણસો આવે તેમને નેકરી ન મળે ત્યાં સુધી ઉદાર હૃદયના ભાઈ શ્રી હરજીવનદાસ પોતાને ઘેર વિના સંકેચે જમાડતા, અને સૂવા-બેસવાની સગડ ન હોય તે એ પણ કરી આપતા. એટલું જ નહિં, પણ બનતે પ્રયાસે પોતાની લાગવગ વાપરીને તથા જરૂર પડે તે પોતાની ઓળખાણ આપીને પણ નોકરી મેળવી આપતા, તેમના ધર્મપત્ની કોમળ હૃદયના બેન રતન