________________
(૧૪)
પંન્યાસજી મહારાજ શ્રી કંચનવિજયજી
- આ વખતે મુનિ મહારાજ શ્રી ભક્તિવિજયજી મહારાજ વીરમગામથી વિહાર કરી પોતાના શિષ્ય-સમુદાય સાથે જોટાણા પધાર્યા હતા, હર્ષિત હૃદયવાળા હરજીવનદાસ ટાણું પહોંચ્યા અને પિતાની પત્ની તથા કુટુંબીઓ તરફથી દીક્ષાની સમ્મતિ મળેલી હોવાથી તાત્કાલિક દીક્ષા આપવા આગ્રહપૂર્વક નમ્ર વિનતિ કરી. ગુરૂ મહારાજે દીક્ષાનું મુહૂર્ત કર્યું તે માગશર . શુદિ ૧૦ શુક્રવારના રોજ આવ્યું. હરજીવનદાસે પિતાના પત્ની તથા કુટુંબીઓને આ નિર્ણય જણાવ્ય; જેથી દીક્ષામહત્સવના શુભ પ્રસંગે તેમના પત્ની બહેન રતન, પુત્રો-ભાઈ પ્રભુદાસ તથા જયંતીલાલ, માતુશ્રી બાઈ મેંઘી, માસીબા બાઈ મૂળી, મામાના દિકરા ભાઈ ત્રિભવનદાસ તથા માતુશ્રીના મામા ભાઈ દેવકરણ નથુભાઈ વિગેરે હાજર થયા.
-
-
- -
-
જોટાણામાં ભાઇશ્રી હરજીવનદાસે સ્વીકારેલી ભાગવતી દીક્ષા, તેમનું પાડેલું મુનિશ્રી
કંચનવિજયજી નામ.
Seconnection on
screenwood morning
. એજ દિવસે એટલે માગશર શુદિ ૧૦ ના રોજ મુંદરડાના રહીશ શા હરગોવન ઉમેદરામના ધર્મપત્ની બહેન પરસન બાઈને તેમના કુટુંબીઓની સમ્મતિથી મુનિરાજ શ્રી ભક્તિવિજયજી મહારાજ પાસે જેટાણામાં દીક્ષા લેવાની હતી. જેથી તે નિમિત્ત બહેન પરસનના દિયર શેઠ અમથાલાલ તરફથી જેટમાં ધામધૂમથી અઠ્ઠઈ-મહત્સવ શરૂ થશે, તથા તેમના તરફથી આઠે દિવસ નવકારશી નેંધાવવામાં આવી.