Book Title: Updesh Saptatika
Author(s): 
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 42
________________ નવ્ય ઉપદેશ સપ્તતિકા. પાત થવાથી તે અન્તે મરણ પામ્યા. તેનાપિતાએ કોઈ જ્ઞાની મુનિને તેની ગતિ પૂછી, ત્યારે મુનિએ કહ્યું કે-“ સિદ્ધ સૌધર્મ દેવલાકને અને સેન વ્યતર ગતિને પામ્યા છે. ” તેમ વિપરીત થવાનું કારણુ પૂછતાં ગુરૂએ કહ્યુ કે સિદ્ધ શુદ્ધ સ્વભાવવાળે હાવાથી ગૃહવાસને વિષે રહીને પણ્ યતિધર્મમાં તથા સિદ્ધાંતમાં રસિક હાવાથી શુભ ગતિને પામ્યા છે અને સેન મુનિ થયા છતાં પણ ચારિત્રમાં પ્રમાદી હતા તેથી તે વ્યંતર થયા છે. વિગેરે. ૧૮ હવે ઉત્સુત્ર પ્રરૂપણા કરવાથી મહા દોષ લાગે છે, તે કહે છે— פי ३७ કે い * ε हवंति जे सुत्तविरुद्धभासगा, न ते वरं सुछु वि कट्ठकारगा । पच्छंदचारी समए परूबिया, तद्दमणिच्छावि अईव पात्रिया। १६ ૧૦ ૬૩ ૬.૪ મૂળા જેએ સૂત્રની વિરૂદ્ધ ખેલનારા હાય છે, તેઓ અત્યંત કષ્ટ કરનારા છતાં પણ સારા નથી. તેને સિદ્ધાંતમાં સ્વછંદચારી કહેલા છે, તથા તેમના દર્શનની ઇચ્છા પણ અત્યંત પાપકારી કહી છે. ૧૯ ટીકા —જે સૂત્ર એટલે સિદ્ધાંત, તેનાથી વિરૂદ્ધ એટલે વિપરીત ભાષણ કરનારા એટલે ઉત્સૂત્રને બેલનારા-પ્રરૂપણા કરનારા હાય છે, તે માણસો સારા નથી. તેએ કેવા હોય ? અત્યંત કને સહન કરનારા એટલે શીત, આતપ, વાયુ, ક્ષુધા તથા પિપાસા વિગેરે ઘણા શરીરના કલેશને સહન કરતા હાય, છતાં પણ તેઓ સારા નથી. તેઓને કેવા જાણવા ? સુત્રમાં તેમને સ્વદાચારી સ્વેચ્છાવિહારી કહેલા છે, તથા તેના દર્શનની ઇચ્છા પણ તેના મુખને જોવાની ઇચ્છા કરી હોય તાપણુ તે અત્યંત પાપકારી-દુષ્કૃતને ઉત્પન્ન કરનારી કહી છે. તે વિષે શ્રી બૃહત્કલ્પસૂત્રને વિષે કહ્યું છે કે—

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118