________________
૧૦૪ . . નવ્ય ઉપદેશ સપ્તતિકા. આવળીકા શેષ રહે ત્યારે કઈક જીવને મહા વિભીષિકા (ભય) ની ઉત્પત્તિની જે અનંતાનુબંધિને ઉદય થાય છે. તેના ઉદય વખતે આ જીવ સાસ્વાદન સમ્યગ્દષ્ટિ નામના બીજા ગુણસ્થાનકે વર્તે છે, અથવા ઉપશમ શ્રેણિથી પડેલે પણ કોઈ જીવ સાસ્વાદન ગુણસ્થાનકે જાય છે, અને ત્યારપછી તરત જ અવશ્ય મિથ્યાત્વને ઉદય થવાથી તે મિથ્યાષ્ટિ થાય છે. ૭૧. - હવે સમ્યકત્વ પ્રાપ્ત થયા પછી ઉત્તરોત્તર જે ફળ થાય છે તે બતાવે છે – पैसत्थलेसं पैकरंति चित्तं, जे सेत्तखित्तेसु वैवति वित्तं । छिदंति निम्मोहमणा ममत्तं, कुणंति ते जम्ममिमं पवित्तं
|| ૭૨ છે. મૂળાથે--જેઓ પિતાના ચિત્તને પ્રશસ્ત લેશ્યાવાળું કરે છે, જે સાત ક્ષેત્રને વિષે પિતાના વિત્તને વાપરે છે, અને મનમાંથી મેહને નાશ કરીને જે મમતાને છેદે છે, તેઓ પોતાના આ જન્મને પવિત્ર કરે છે. ૭૨.
ટકાથ–તત્વજ્ઞાન પ્રાણીઓ અપ્રશસ્ત-અશુભ લેશ્યાને ત્યાગ કરીને પોતાના ચિત્તને પ્રશસ્ત લેશ્યાવાળું કરે છે, તથા સાત ક્ષેત્રમાં ન્યાયપાર્જિત એવા પિતાના ધનને વાપરે છે. શ્રીભક્તપરિ. જ્ઞા પ્રકીર્ણકગ્રંથમાં સાત ક્ષેત્ર આ પ્રમાણે કહેલાં છે
- ૧ જે મિથ્યાત્વે જવાનો હોય તેને, બાકી બીજ કવ તો ત્યાં ત્રણ પુંજ કરીને શુદ્ધપુજનો ઉદય થવાથી ક્ષયપશમ સમકિત પામે છે અને બીજા લાભો પણ મેળવે છે. ૨ અગ્યારમે ગુણઠાણેથી.