Book Title: Updesh Saptatika
Author(s): 
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 103
________________ ૯૮ નવ્ય ઉપદે સપ્તતિકા ઠેકાણે કર્યો હતો, તેમ બીજા બુદ્ધિમાન સાધુઓએ “સમયે યમ મા પમાયા”! “હે ગતમ! એક સમય પણ પ્રમાદ ન કરે.” એવું શ્રીમહાવીરસ્વામીનું વચન ચિત્તમાં ધારણ કરીને કદાપિ કરવો નહીં. આ પ્રાણ એકાંતે પ્રમાદમાં મગ્ન થયેલું જ હોય છે, પર. તુ તેમાં જેઓ અપ્રમાદી હોય છે, તેઓ જ આત્મકાર્યને સાધનારા અને દુઃખને નાશ કરનારા થાય છે. અહીં સ્થળભદ્ર મુનિએ કરેલા ત્રણ પ્રમાદના સ્થાને જણાવવા માટે સ્થળભદ્ર મુનિનું સવિસ્તર દૃષ્ટાંત આપ્યું છે. ૬૭. હવે બાલ્યાદિક ત્રણે અવસ્થામાં ધર્મને અવસર દુર્લભજ છે, તે કહે છે – बालत्तणं खिड्डपरो गमेइ, तारुपए भोगसुख रमेई । थेरत्तणे कायबलं वैमई, मूंढो मुंहा कालमइक्कमेइ ॥ ६८ ॥ મૂળાર્થ–પ્રાણી બાલ્યાવસ્થાને ક્રીડામાં તત્પર થઈને ગુમાવે છે, યુવાવસ્થામાં ભેગના સુખને વિષે રમે છે અને વૃદ્ધાવસ્થામાં શરીરના બળને વમે છે-નાશ કરે છે, એ રીતે મૂઢ પ્રાણ કાળને ફેગટ ગુમાવે છે. ૬૮. * ટીકાથ–પ્રાણી કીડામાં તત્પર થઈને બાળપણું ગુમાવે છેફગટ હારી જાય છે. “વાતઃ પ્રાયો માર.” “પ્રાયે કેરીને બાળક કીડામાં આસક્ત હોય છે.” એમ અન્ય શાસ્ત્રમાં પણ કહ્યું છે, ત્યારપછી યુવાવસ્થા પ્રાપ્ત થયે ભેગસુખમાં ભેગવિલાસમાં રમે છે, અને ત્યારપછી વૃદ્ધાવસ્થામાં શરીરના બળને વમે છે–શરીરનું બળ ક્ષીણ થાય છે. એ રીતે મુખ્ય પ્રાણું ફેગટ-નિરર્થક જ

Loading...

Page Navigation
1 ... 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118