________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રેરણા
જ્ઞાનની આશાતના કદી કરવી નહીં.
જ્ઞાનથી આત્માને શોભાવવાને છે. જ્ઞાની શ્વાસોશ્વાસમાં કર્મને ક્ષય કરી નાખે છે.
કર્મક્ષય માટે જ્ઞાનને પ્રચાર ને પ્રસાર આવશ્યક છે. જ્ઞાનસભર જ્ઞાનીનું વંદન-પૂજન-સન્માન થવું જોઈએ. જ્ઞાનને જીવનમાં ઉતારવાનું છે, ને જીવવાનું છે. જ્ઞાનથી માનવની કક્ષા ઉત્તરોત્તર વધતી જાય છે. પંચેન્દ્રિય બનવા માટે ઘણું જ જ્ઞાન ઉપાર્જન કરવું પડે છે. ઘાટી અને ગવર્નર બને માણસે છે. એક અજ્ઞાનથી ક્ષુદ્ર કામ કરે છે, બીજા જ્ઞાનથી ઉચ્ચ સ્થાન ભાવે છે.
મેક્ષ માર્ગે લઈ જનાર મિયે તે જ્ઞાન જ છે. સંસારમાં દૃષ્ટા ને દોરવણી આપનાર જ્ઞાન છે. જ્ઞાન તે માનવજીવનની શોભા અને સૌભાગ્ય છે. માણસ જ્ઞાનથી શોભે છે.
જ્ઞાનપંચમીને દિવસે જ્ઞાનની–પુસ્તકોની ફક્ત પૂજા કરવી તે પૂરતું નથી, પરંતુ જ્ઞાનને વેગ વધુ થાય તે માટે પઠન પાઠન અવશ્ય કરવું. લોકોને સમજાય તેવું જ્ઞાનસાહિત્ય ફેલાય તે પ્રયત્ન કરે. જ્ઞાનને પચાવનાર જ્ઞાની મહાત્માઓની સેવાભક્તિ કરવાની. તેઓ જ્ઞાનને વધુ જાણે ને સ્વ તથા પરના શ્રેયાર્થે તેને સદુપયેગ કરે તે માટે દરેક પ્રકારની સગવડતા કરી આપવાને ઉદેશ જ્ઞાનપંચમીને છે. તે દિવસે નાનામોટાને દરેકને જ્ઞાન પ્રતિ-આધ્યાત્મિક જ્ઞાન પ્રતિ જિજ્ઞાસા થાય, આત્મિક જ્ઞાન મેળવવાની અભિલાષા થાય તેવું વાતાવરણ ઉપસ્થિત કરવાની ફરજ છે. આ બધા જ્ઞાનપંચમીને ઉજાળવાના ઉપાય છે.
For Private And Personal Use Only